________________
૪૮
શ્રાવક જીવન
છે. જે જીવો ભવી હોય છે તેઓ તો જિનવચન સાંભળતાં જ સમકિતવૃષ્ટિ બની જાય છે, અથવા ”નિસર્ગ” થી બની જાય છે. “તથાભવ્યત્વ” ના પરિપાકથી જીવની વીર્યશક્તિ ઉલ્લસિત થાય છે અને એ વીર્યશક્તિથી આપોઆપ મિથ્યાત્વમોહનીય કર્મ તૂટી જાય છે. અને સમ્યગ્દર્શન પ્રગટ થઈ જાય છે.
સભામાંથી : "તથાભવ્યત્વ શું છે ?
મહારાજશ્રી : જેવી રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ આત્માના ગુણ છે તેવી જ રીતે તથાભવ્યત્વ” પણ આત્માનો અક્ષય ગુણ છે. જ્યારે આ ગુણ પિરપક્વ થાય છે, એટલે કે આત્માની મુક્તિ નજીકમાં હોય છે ત્યારે આત્માનો વીર્યગુણ ઉલ્લસિત થાય છે અને સમ્યગ્દર્શન-ગુણ પ્રગટ થાય છે, એને "નિસર્ગ સમકિત” (સમ્યગ્દર્શન) કહે છે. ઉપદેશ આદિ નિમિત્તોથી જે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે એને “અધિગમ સમકિત” કહે છે.
સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવતાં ટીકાકાર આચાર્યદેવે સાત વાતો બતાવી છે.
જેનું લક્ષણ તત્ત્વશ્રદ્ધા છે.
જે વિપર્યાસને દૂર કરનાર છે.
જે અસત્ આગ્રહો વગરનું છે.
૧. તત્ત્વશ્રદ્ધાનલક્ષણં
૨. વિપર્યયવ્યાવૃત્તિકારિ
-
૩. અસદભિનિવેશશૂન્ય ૪. શુદ્ધવસ્તુપ્રજ્ઞાપનામુપગત -
૫. નિવૃત્તતીવ્રસંકલશં
૬. ઉત્કૃષ્ટબન્ધાભાવકૃત્
૭. શુભાત્મપરિણામરુપ
-
જે પ્રત્યેક વસ્તુનું શુદ્ધ સ્વરૂપ બતાવે છે.
જે ચિત્તનો તીવ્ર સંતાપ દૂર કરે છે.
જે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવા દેતું નથી.
જે શુભ આત્મપરિણામ રૂપ છે, તે સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શનમ્
હવે એક એક વાતને સ્પષ્ટતાથી સમજી લો. જો કે વધુ વિસ્તાર તો નહીં કરું, સંક્ષેપમાં જ સમજાવીશ. કારણ કે ચાતુર્માસમાં જ ત્રીજો અધ્યાય પૂર્ણ કરવાનો
છે.
Jain Education International
આમ તો આ સાતે બાબતોને વિસ્તારથી વિવેચિત કરવામાં મહિનાઓ પણ ઓછા પડે !
For Private & Personal Use Only
www.jainelibrary.org