________________
( પ્રવચન : ૫ )
सति सम्यग्दर्शने न्याय्यमणुव्रतादीनां ग्रहणं नान्यथा ॥ जिनवचनाशवणादेः कर्मक्षयोपशमादितःसम्यग्दर्शनम् ॥
प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिकयाभिव्यक्तिलक्षणं तत् ॥ પરમ કૃપાનિધાન મહાન શ્રતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્વરચિત “ધર્મબિંદુ” ગ્રંથના તૃતીય અધ્યાયમાં ગૃહસ્થજીવનનો વિશેષ ધર્મ બતાવી રહ્યા છે. આ વિશેષ ધર્મ છે - બાર વ્રતમય શ્રાવકધર્મ. આ શ્રાવકધર્મ ત્યારે જ ફળદાયી બની શકે છે કે જ્યારે ગ્રહણ કરનારમાં સમ્યગુ દર્શનનો ગુણ પ્રકટેલો હોય. એટલા માટે ધર્મ પ્રદાન કરનાર સદ્ગુરુ સમ્યવ્રુષ્ટિજીવને જ વિશેષ ધર્મ-પ્રદાન કરે છે.
સમ્યગ્ગદર્શન એટલે શ્રદ્ધા, અને વ્રત એટલે વિરતિ. શ્રદ્ધા વગર વિરતિ થઈ શકતી નથી. કેટલી વાસ્તવિક વાત કરી છે ગ્રંથકતએ ! બીજ વગર વૃક્ષ નહીં તેમ શ્રદ્ધા વગર વિરતિ નહીં. હા, બીજ વગરનાં વૃક્ષો હોય છે.....પરંતુ કાગળનાં.....પ્લાસ્ટિકનાં. તે વાસ્તવિક વૃક્ષો હોતા નથી પરંતુ વૃક્ષાભાસ હોય છે. એ વૃક્ષો ઉપર ફળો પણ લટકે છે, પણ તે ય આભાસ જ હોય છે. તે ફળ ખાવા માટે હોતાં નથી, માત્ર જોવા માટે જ હોય છે. એ રીતે શ્રદ્ધા વગર કોઈ વ્રતધારી બની પણ જાય તો તેનું વ્રત આભાસ-માત્ર જ હોય છે ! તેનાં વ્રત કાગળનાં વા પ્લાસ્ટિકનાં વૃક્ષ સમાન હોય છે. નિષ્ફળ હોય છે. શ્રદ્ધા વગરનાં વ્રતોનું કોઈ મૂલ્ય સર્વજ્ઞ વીતરાગ ભગવંતોએ બતાવ્યું નથી.
આનાથી એટલો જ અર્થ પ્રતિપાદિત થાય છે કે પ્રથમ શ્રદ્ધાવાન બનવું જોઈએ, સમ્યગદર્શન-ગુણ પ્રગટ થવો જોઈએ.
ટીકાકાર આચાર્યશ્રીએ મિથ્યાત્વી જીવને "ઉષરભૂમિ” સમાન જણાવ્યો છે. જે ભૂમિમાં અન્ન ઉત્પન્ન થતું નથી તે ભૂમિને ઉષરભૂમિ કહે છે. આવી ભૂમિમાં ખેડૂત કદાચ બી વાવે છે તો પણ તે બી અંકુરિત થતું નથી, નષ્ટ થઈ જાય છે. એ રીતે જે જીવાત્મામાં સમ્યગુદર્શન-ગુણ ઉત્પન્ન થયો નથી, જે મિથ્યાત્વી છે. તેને વ્રતો ગ્રહણ કરાવવામાં આવે તો પણ તે વ્રતો નષ્ટ થઈ જાય છે. વ્રતોનો ભાવ વિકસતો નથી.
એટલા માટે વ્રતધારી થવા પૂર્વે શ્રદ્ધાવાન થવું એ આવશ્યક જ નહીં પરંતુ અનિવાર્ય છે." વ્રત લેવા તત્પર થયેલ માણસ શ્રદ્ધાવાન, સમકિત દ્રષ્ટિ છે કે નહીં”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org