________________
જ
શ્રાવક જીવન વિમલ, વિશુદ્ધ ભાવોને જાગૃત કરનારી પ્રશસ્ત ધાર્મિક ક્રિયાઓનો કદાપિ અનાદર ન કરવો જોઈએ. ધાર્મિક ક્રિયાઓ પ્રતિ અનાદર... અનુત્સાહવાળા કેટલાક વિદ્વાન લોકો તમારા જેવા સરળ (?) લોકોને ભ્રમમાં ન નાખે એટલા માટે જાગ્રત રહેવું. આજકાલ તો તમે લોકો સાંભળવા બધે જ જાઓ છો ને? બુદ્ધિ ઠેકાણે રાખીને સાંભળવું, નહીંતર ઉત્પથે-ઊલટા માર્ગે ચાલ્યા જશો. જે ધર્મક્રિયાઓ તમે કરો છો તેને પણ છોડી દેશો, અને બીજી પાપક્રિયાઓ શરૂ કરી દેશો. બુદ્ધિ મલીન ભાવોથી ભરાઈ જશે.
એક પરિચિત ભાઈની વાત છે. પ્રતિદિન પરમાત્માની પૂજા કરતા હતા. બે ત્રણ વર્ષ પછી તેઓ મને મળ્યા, મેં પૂછયું : “શું પરમાત્મપૂજા નિયમિત કરો છો ?” "ના સાહેબ, મેં બે વર્ષથી પૂજા કરવી છોડી દીધી છે.” "કેમ ?”
"મહારાજ સાહેબ, આત્મા જ પરમાત્મા છે.....તો પછી મંદિરમાં જઈને શા માટે પૂજા કરવી ?"
"તો પછી આત્મા મૂળ સ્વરૂપે તો અણાહારી છે, તો ભોજન શા માટે કરવું ? જેમ પૂજા છોડી દીધી તેમ ભોજન પણ છોડી દેવું જોઈએ ! આત્મા મૂળ રૂપે તો પરમાત્મા છે, એમ આત્મા મૂળ રૂપથી અણાહારી છે !”
તે ભાઈ વિચારમાં ડૂબી ગયા. મેં પૂછ્યું : "પૂજા છોડી દઈને એ સમયે બીજું શું કરો છો ? ધાર્મિક અધ્યયન પણ કરતા નહીં હો, કારણ કે આત્મા મૂળ રૂપમાં અનંત જ્ઞાની છે ! પછી વાંચવાની શી જરૂર? જે મૂળ સ્વરૂપે છે તે નહીં કરવાનું, કેમ? જે મૂળ સ્વરૂપે નથી હોતું તે બધું કરવાનું? હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ...આ બધું જ કરવાનું ! આ તમામ પાપક્રિયાઓ કરવાની ? "
ભાઈ સમજી ગયા. તેમણે બીજે દિવસે પરમાત્માની પૂજા શરૂ કરી દીધી. આજે પણ કરે છે. બધી ધર્મક્રિયાઓ કરતા રહો. ત્યજો નહીં. ધર્મક્રિયાઓ છોડી દેશો તો જીવનમાં પાપક્રિયાઓ પ્રવેશી જશે.
વ્રતમય શ્રાવક ધર્મ ગ્રહણ કરનાર મનુષ્યમાં એક મહત્ત્વપૂર્ણ ગુણ હોવો જરૂરી છે. તે ગુણ કયો છે તે આગળ બતાવીશ. આજે બસ, આટલું જ
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org