SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૧ ૪૧ સોમચંદ્ર મુનિ જેવા પ્રજ્ઞાવાન હતા તેવા જ ગુણવાન પણ હતા. જ્યારે ગુરુદેવે એમની પ્રશંસા કરી ત્યારે તે શરમાયા અને બીજા ખંડમાં ચાલ્યા ગયા. તેમના મનમાં તો માત્ર જ્ઞાન રમણતા જ હતી. હવે તેમને દેવી સરસ્વતીનું વરદાન મળી ગયું હતું. તેમણે જ્ઞાનની ચાર શાખાઓમાં પારંગતતા પ્રાપ્ત કરી લીધી હતી. વેદાન્ત દર્શનનું રહસ્ય પ્રાપ્ત કરી લીધું હતું. ઇતિહાસ (ભગવાન ઋષભદેવથી....) ના પારગામી બન્યા અને રાજનીતિમાં કૌશલ્ય પ્રાપ્ત કરી લીધું. તર્કશાસ્ત્રની આવશ્યક્તા : સોમચંદ્ર મુનિ ખૂબ જ પ્રજ્ઞાવાન હતા એટલે તેમને માટે તર્કશાસ્ત્રનું જ્ઞાન હોવું અતિ આવશ્યક હતું. તર્કશાસ્ત્ર બુદ્ધિને તીક્ષ્ણ બનાવે છે. પ્રત્યેક તત્ત્વને વિચારવામાં વ્યવસ્થિત માર્ગ બતાવે છે. દરેક વાતમાં સત્યાસત્યતાનો નિર્ણય કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. સ્વમત સિદ્ધ કરવાની અને પરમતનું ખંડન કરવાની ક્ષમતા અર્પે છે. વાદ-પ્રતિવાદ કરનારે તર્કશાસ્ત્રનું અધ્યયન કરવું જ જોઈએ. તર્કશાસ્ત્રના અધ્યયન સિવાય મનુષ્ય વાદ-વિવાદ કરી શકતો નથી, અને કરવા જાય છે તો પરાજ્ય પામે છે. દાર્શનિક ગ્રંથોના અધ્યયન માટે પણ તકશાસ્ત્રનું અધ્યયન-જ્ઞાન જરૂરી છે. વેદાન્તનું અધ્યયન આવશ્યક : સોમચંદ્ર મુનિ વેદાન્ત-દર્શનના પણ પારગામી હતા. વેદાન્ત દર્શનમાં સાંખ્યદર્શન, યોગદર્શન અને વૈશેષિક દર્શનોનો સમાવેશ થઈ જાય છે, કારણ કે આ ત્રણે દર્શનો વેદની માન્યતા ઉપર ઊભાં છે. પરસ્પરના કોઈ કોઈ મતભેદો પર તેઓએ અલગ-અલગ અસ્તિત્વ ખડું કર્યું. સોમચંદ્ર મુનિવરે બૌદ્ધ દર્શન અને ચાવક (નાસ્તિક) દર્શનનું પણ ગહન અધ્યયન કર્યું હતું. એ જમાનામાં આ દર્શનોના અધ્યયનની જરૂર હતી. જો કે રાજસભાઓમાં ભિન્ન ભિન્ન દર્શનોનો પરસ્પર વાદ-વિવાદ થતો હતો. એ વાદ-વિવાદોમાં જય-પરાજ્યનું ઘણું વિશેષ મહત્ત્વ રહેતું હતું. રાજાઓ પણ એ વિવાદમાં રસ લેતા હતા, અને એની અસર પ્રજા ઉપર પડતી હતી. કોઈ કોઈ વાર તો જે દર્શનવાળા હારી જતા તેમને તે રાજ્ય છોડીને બીજા રાજ્યમાં જવું પડતું હતું. એટલા માટે દરેક દર્શનના, દરેક ધર્મના ધર્મગુરુ સ્વદર્શનના અધ્યયનની સાથે સાથે પરદર્શનનું અધ્યયન પણ કરતા હતા. તર્કશાસ્ત્રનું અધ્યયન તો પ્રત્યેક દર્શનના વિદ્વાનોએ કરવું જ પડતું હતું. એ જમાનામાં જૈન અને બૌદ્ધો વચ્ચે, જૈન અને વેદાન્તીઓ વચ્ચે, બૌદ્ધ અને વેદાન્તીઓ વચ્ચે પ્રાયઃ વિવાદો થતા જ રહેતા હતા. ભારતમાં અનેક રાજ્યો હતાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy