________________
૪૦
શ્રાવક જીવન
છે. સિદ્ધિ પ્રાપ્ત કરે છે, જિનશાસનની પ્રભાવના કરે છે. અભિનવ ધર્મગ્રંથોની રચના કરે છે ત્યારે ગુરુદેવ એની પ્રશંસા કરે જ છે. પ્રશંસા કરવી જ જોઈએ. શું સ્થૂલભદ્ર મુનિવર કોશાને ત્યાં ચાતુમસિ કરીને, કોશાને શ્રાવિકા બનાવીને ગુરુદેવની સમક્ષ હાજર થયા ત્યારે ગુરુદેવે સ્થૂલભદ્રની પ્રશંસા કરી ન હતી ? ભરપૂર પ્રશંસા કરી હતી.
ગુણવાન, પ્રજ્ઞાવંત શિષ્યના અસાધારણ કાર્યોની પ્રશંસા કરવાથી શિષ્ય સત્કાર્ય પ્રત્યે વિશેષ ઉલ્લાસિત થાય છે, તેનો ઉત્સાહ વધે છે. ગુરુ પ્રત્યે તેની શ્રદ્ધા દૃઢ થાય છે. સમર્પણ ભાવ વધે છે.
ગુરુ શિષ્યને ઉપાલંભ આપે તેમ પ્રસંગોપાત પ્રશંસા પણ કરે :
ન
એટલા માટે વિશેષ પ્રસંગોએ સમતોલ શબ્દોમાં ગુરુ શિષ્યના ગુણોની, મહાન કાર્યોની પ્રશંસા કરતા રહે છે. કદી પ્રશંસા કરે જ નહીં, અને માત્ર દોષ જ બતાવીને ઠપકો આપતા રહે તો શિષ્યના મનમાં ગુરુ પ્રત્યે અભાવ, દુર્ભાવ વધતો જશે. જો કે શિષ્યના હૃદયમાં ગુરુ પ્રત્યે કદીય દુર્ભાવ પેદા થવો ન જોઈએ. ગુરુએ ગુણવાન, પ્રજ્ઞાવાન, મેધાવી શિષ્યોના મનોભાવોનો ખ્યાલ રાખવો જોઈએ એવી જિનાજ્ઞા છે. શિષ્યોનાં દયો ચરિત્રધર્મની આરાધનામાં ઉલ્લસિત થતાં રહે એટલા માટે ગુરુએ “સાયકોલોજિકલ ટ્રીટમેન્ટ” એટલે કે માનસિક ચિકિત્સા પણ કરવી જોઈએ.
શ્રી દેવચંદ્રસૂરીશ્વરજી સોમચંદ્ર મુનિની ત્યારે ભરપૂર પ્રશંસા કરે છે કે જ્યારે તે દેવી સરસ્વતીની પરમ કૃપા પ્રાપ્ત કરીને આવે છે. “સિદ્ધ સારસ્વત” બનીને પાછા ફરે છે, બધા સહવર્તી મુનિવરો પણ સોમચંદ્ર મુનિની પ્રશંસા કરે છે.
આ વિષયમાં એક સભાનતા રાખવાની હોય છે. શિષ્ય ગુરુ-પ્રશંસાની અપેક્ષા રાખવાની હોતી નથી, અને ગુરુએ શિષ્યનાં સત્કાર્યોની ઉપેક્ષા કરવાની ન હોય. જો શિષ્ય ગુરુ-પ્રશંસાની અપેક્ષા રાખશે તો તે જ્યારે પ્રશંસા સાંભળશે નહીં ત્યારે તે ગુરુ પ્રત્યે નફરત કરવા લાગશે. ગુરુએ ૧૯ વાર પ્રશંસા કરી હશે પણ એક વાર નહીં કરી હોય તો શિષ્ય બોલી નાખશેઃ “ગુરુ મહારાજને મારી કોઈ કદર નથી......ગુરુ સ્વાર્થી છે.”....વગેરે.
જો કે અયોગ્ય અને અપાત્ર શિષ્યની પ્રશંસા કરવાની છે જ નહીં. જે શિષ્ય પ્રશંસા ઇચ્છતો નથી તેની પ્રશંસા કરવાની હોય છે. જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં શિષ્યનો ઉલ્લાસ વધારવાની દૃષ્ટિથી કોઈ કોઈ વાર તેની "ઉપબૃહણા” કરવાની હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org