________________
ભાગ - ૧
એકાગ્રતા સહજ રીતે પ્રાપ્ત થશે.
વ્રતમય વિશેષ ગૃહસ્થધર્મ પ્રદાન કરનારી અને ગ્રહણ કરનારી ક્રિયા ધર્મગ્રહણ ક૨ના૨ શિષ્ય માટે, શ્રમણોપાસક માટે ફળદાયિની બને છે. જિનવચન અનુસાર વિધિપૂર્વક ધર્મ ગ્રહણ કરવાથી ચિત્તમાં વિમલભાવ......નિર્મળ ભાવ જાગે છે. અને આ જ છે લવત્તા ધર્મગ્રહણની !
39
ધર્મગ્રહણમાં ગુરુ-અનુગ્રહ આવશ્યક :
સદ્ગુરુ પાસેથી વિધિપૂર્વક ધર્મગ્રહણ કરવાથી ગુરુ-અનુગ્રહ એટલે કે ગુરુકૃપા પણ પ્રાપ્ત થાય છે. ગુરુના હાર્દિક આશીર્વાદની સાથે ધર્મગ્રહણ કરનાર મુમુક્ષુ આત્મા પ્રાયઃ વ્રતપાલનમાં સફળ થાય છે. વ્રતપાલનમાં એનો ઉત્સાહ વધતો જાય છે.
આચાર્યદેવ દેવચંદ્રસૂરીશ્વરજી ચાંગદેવને લઈને ધંધુકાથી વિહાર કરીને ખંભાત પધારે છે. ચાંગદેવને વિધિપૂર્વક સાધુ-ધર્મ પ્રદાન કરવો હતો. ચાંગદેવે ગુરુકૃપા તો પ્રાપ્ત કરી લીધી જ હતી.
સભામાંથી : આચાર્યદેવે ચાંગદેવને સીધો સાધુધર્મ આપવાનો નિર્ણય કેમ કર્યો ? પહેલાં ગૃહસ્થ ધર્મ આપીને, તેનું પાલન કરાવીને અને પછી સાધુ ધર્મ આપ્યો હોત તો તે ઉચિત ન હતું ?
:
મહારાજ્જી ઃ રાજમાર્ગ તો એ જ છે ` પહેલાં શ્રાવકધર્મનું પાલન કરવામાં આવે અને પછી સાધુધર્મનો સ્વીકાર કરવામાં આવે. સાધુધર્મનું પાલન કરવા માટે તે જ માણસ યોગ્ય માનવામાં આવે છે કે જેણે શ્રાવકધર્મનું પાલન સમુચિત રૂપમાં કર્યું હોય, શ્રાવકધર્મનો અભ્યાસ કરતી વખતે પરિપક્વતા પ્રાપ્ત થાય છે, વ્રતપાલનની દૃઢતા પ્રાપ્ત થાય છે અને એનાથી સાધુધર્મના પાલનમાં સરળતા રહે છે.
પરંતુ દરેક નિયમનો અપવાદ હોય છે. ચાંગદેવમાં આચાર્યદેવે એવી યોગ્યતા જોઈ હતી કે ” આ છોકરો શ્રાવકધર્મનું પાલન કર્યા વગર પણ સાધુ ધર્મનું પાલન કરવામાં સમર્થ છે. શક્તિમાન છે." યોગ્યતા જોનારા ગુરુ આચાર્યદેવ વિશિષ્ટ જ્ઞાની હતા. તેમનામાં ચાંગદેવના ભવિષ્યને જોવાની ક્ષમતા હતી. એટલા માટે જ તેમણે ચાંગદેવને સીધો જ સાધુધર્મ આપવાનો નિર્ણય કર્યો. એવા મહાપુરુષોનાં અનુકરણ હ૨ કોઈ સાધુ યા આચાર્ય કરી શકતા નથી.
આચાર્યદેવ ખંભાત પધાર્યા. એ સમયે ખંભાતમાં મહામંત્રી ઉદયન જૈન સંઘના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org