________________
૩૫ -
ભાગ - ૧ શુદ્ધ ભાવ પ્રકટ થવામાં નિમિત્ત રૂપ બનેલી ક્રિયા પણ ધર્મ છે. આ બધી ક્રિયાઓ કાર્ય ધર્મ છે, જે શુભ, શુદ્ધ આંતરભાવ પ્રકટ કરવામાં નિમિત્ત બને છે. એટલા માટે જો આપણે નિર્મળ ભાવરૂપ ધર્મ ઈચ્છતા હોઈએ તો આપણે પવિત્ર ક્રિયાઓ કરવી જ પડશે. જિનેશ્વર ભગવંતોએ જે જે ક્રિયાઓ કરવાનો ઉપદેશ આપ્યો છે તે બધી ક્રિયાઓ આદરપૂર્વક, પ્રીતિપૂર્વક કરવી પડશે.
સદ્ગુરુ પાસેથી ધર્મગ્રહણની એક વિધિવત્ ક્રિયા કરવાની હોય છે. એ વિધિવત્ ક્રિયાથી વતમય ધર્મ ગ્રહણ કરવાથી ચિત્તમાં નિર્મળ ભાવ ઉદ્ભવે છે. પરંતુ એ ક્રિયા ખિન્ન મનથી કરવાની નથી. અવિધિપૂર્વક કરવાની નથી. ચંચળ મનથી પણ કરવાની નથી. પ્રત્યેક ધર્મક્રિયામાં પ્રીતિ અને આદર જોઈએ ?
જે કોઈ ધર્મક્રિયા કરો તેમાં આંતરપ્રીતિ હોવી જોઈએ. પરંતુ અનાદિકાલીન પાપપ્રીતિ જ્યાં સુધી તૂટશે નહીં ત્યાં સુધી ધર્મપ્રીતિ થશે નહીં. સંસારની પાપક્રિયાઓ પ્રીતિપૂર્વક ન કરો. એ ક્રિયાઓ પ્રત્યે ધૃણા-નફરતનો ભાવ જાગૃત કરો. પ્રારંભમાં ભલે કૃત્રિમ નફરત કરો.....ધીરે ધીરે સ્વાભાવિક નફરત પેદા થઈ જશે. એ રીતે ધર્મક્રિયાઓમાં પ્રારંભમાં પ્રતિભાવ ભલે કૃત્રિમ હોય, પરંતુ ધીરે ધીરે એ પ્રતિભાવ સ્વાભાવિક બની જશે, ધર્મક્રિયા પ્રતિ પ્રીતિ થઈ જશે. અને પછી અંતે તો આદર થઈ જશે. પ્રીતિની સાથે આદરની ભાવના જોડાયેલી રહે છે. શુભ ભાવો જગાડનારી આ પવિત્ર ક્રિયા બતાવીને જિનેશ્વર ભગવંતોએ આપણા ઉપર પરમ ઉપકાર કર્યો છે. કેટલી સુંદર ક્રિયા છે એ !!” એ રીતે વિચાર કરવો જોઈએ. એવા વિચારોથી પ્રીતિનો ભાવ દ્રઢ થતો જાય છે. ધર્મક્રિયામાં જોઈએ સાતત્ય અને વિધિપરકતા :
જો તમે ક્રિયા સતત એટલે કે પ્રતિદિન કરતા રહેશો તો જ પ્રીતિ-આદરનો ભાવ વધતો રહેશે. એવું નહીં કે આજ એક ધર્મક્રિયા કરી, પછી બે ચાર દિવસ ન કરી. ફરી પાછી એક બે દિવસ કરી. પાછળથી આઠ-દસ દિવસ ન કરી.ધર્મક્રિયામાં સાતત્ય ટકી રહેવું જોઈએ. નિયમિતતા હોવી જોઈએ.
સાતત્યની સાથે તે તે ધર્મક્રિયાની વિધિ પ્રત્યે પણ આદર હોવો જોઈએ. જે ક્રિયા જે વિધિથી કરવાનું વિધાન હોય તે વિધાન પ્રમાણે જ તે ક્રિયા કરવી જોઈએ. જો પ્રીતિ હશે તો વિધિનું પાલન સહજભાવે થતું રહેશે. ક્રિયામાં રસ-રુચિ નહીં હોય તો ક્રિયા અવિધિથી થશે. અથવા અવિધિથી ક્રિયા કરવાથી ક્રિયાચિ ધીરે ધીરે નષ્ટ થતી જશે. ધર્મક્રિયામાં આનંદનો અનુભવ કરવો હોય તો વિધિનું પાલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org