________________
૩૧
બેસશે. આ બાળક સાધુ બનવા યોગ્ય છે, આચાર્ય બનવા યોગ્ય છે. હે પુણ્યશાલિની, નાના બાળકને અમે પાત્રતા-યોગ્યતા જોયા સિવાય દીક્ષા આપતા નથી. એટલા માટે કહું છું કે તું તારું આ રત્ન મને સોંપી દે. સમગ્ર દેશમાં એ આર્હત્ ધર્મનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરનારો થશે.”
ભાગ ૧
-
પાહિણીદેવી આચાર્યદેવનાં મધુર વચનોનું શ્રવણ કરીને આનંદવિભોર થઈ ગઈ. નતમસ્તક થઈ ગઈ અને વિનીતભાવે તેણે કહ્યું : “ગુરુદેવ, આપ આ પુત્રને તેના પિતા પાસેથી સ્વીકારી લો.” પાહિણીદેવીએ પોતાની સ્વીકૃતિ તો આપી દીધી.
આચાર્યશ્રી દેવચંદ્રસૂરીશ્વરજીમાં યોગ્યતા-અયોગ્યતા નિહાળવાની વિશિષ્ટ શક્તિ હતી. તેમણે ચાંગદેવમાં સાધુ થવાની યોગ્યતા જોઈ હતી. તેમણે ચાંગદેવની માત્ર તત્કાલીન ભાવનાને જ મહત્ત્વ આપ્યું ન હતું, "આ છોકરાની દીક્ષા લેવાની ભાવના છે, એ દીક્ષા લેવા ઈચ્છે છે.....એટલાથી જ માત્ર દીક્ષા આપવી યોગ્ય નથી. છોકરો યૌવનમાં પ્રવેશ્યા પછી પણ ઇન્દ્રિયપરવશ નહીં બને. જ્ઞાન-ધ્યાનમાં તત્પર રહેશે. એવી નિશ્ચિત પ્રતીતિ દીક્ષા આપનાર ગુરુને હોવી જોઈએ.
વર્તમાન સમયમાં જ્યારે સમાજનું વાતાવરણ વધુ કલુષિત બન્યું છે; વિષયવિકારોનું નગ્ન પ્રદર્શન વધી રહ્યું છે, એવા સમયમાં યુવાન સાધુ-સાધ્વીને પોતાના મહાવ્રતોના પાલનમાં દૃઢ રહેવાની મૌલિક યોગ્યતા હોવી નિતાન્ત આવશ્યક છે. સાધુ જીવનમાં નિર્વિકારિતા અતિ મહત્ત્વનો ગુણ છે.
કેટલાક આત્માઓ જન્મથી જ નિર્વિકાર હોય છે. પૂર્વજન્મોના સંસ્કાર લઈને જે આત્માઓ આવે છે તે સહજ રીતે નિર્વિકાર હોય છે. આવા જીવોને આઠ વર્ષની ઉંમરે સાધુજીવન અર્પવામાં કોઈ મુશ્કેલી આવતી નથી. આવા જીવો યૌવન અવસ્થામાં પણ વિકારરહિત રહી શકે છે.
અન્યથા જ્યારે વિષય-વાસના જાગૃત થાય છે, જાતીય વૃત્તિઓ પ્રબળ બની જાય છે એવા સમયે એ વાસનાઓ ઉપર કાબૂ રાખવો એ કોઈ સામાન્ય વાત નથી. ભયાનક આગ બુઝાવવી સરળ છે. પણ કામવાસનાઓની પ્રચંડ આગ બુઝાવવી અતિ મુશ્કેલ છે. નાનું મોટું નિમિત્ત મળવાથી સંયમની શક્તિ (Controlling Power) ખતમ થઈ જાય છે, અને સંયમી પળવારમાં જ અસંયમી થઈ જાય છે. તે પોતાના મહાવતને ખોઈ બેસે છે.
યૌવનકાલીન આવેગો યા તો શાન્ત હોવા જોઈએ અથવા એ આવેગો ઉપર સંયમ રાખવાની પ્રચંડ તાકાત હોવી જોઈએ. સાધુ-જીવનની આ યોગ્યતા અનિવાર્ય રૂપે જોવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org