________________
૩૦
શ્રાવક જીવન
પરમ શ્રાવિકા હતી. એક દિન રાત્રિના સમયે પાહિણીને સ્વપ્ર આવ્યું કે તેને ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું અને તેણે તે રત્ન ગુરુદેવને સમર્પિત કરી દીધું. સ્વપ્ર જોઈને તે જાગી અને શેષ રાત્રિ ધર્મધ્યાનમાં વ્યતીત કરી. પ્રાતઃકાળે તે જિનમંદિરે ગઈ. પરમાત્માનાં દર્શન કરીને તે ઉપાશ્રયે ગુરુદેવશ્રી દેવચંદ્રસૂરીશ્વર પાસે ગઈ. ગુરુદેવને વંદન કરીને તેણે પોતાને આવેલ સ્વપ્ર કહી બતાવ્યું અને પૂછ્યું "ગુરુદેવ, આ સ્વપ્રનું ફળ શું હશે ?" ગુરુદેવે કહ્યું : "પુણ્યશાલિની, તું કોઈ અસાધારણ ગુણવાળા પુત્રની જનની થઈશ. તે પુત્રરત્ન તું મને સમર્પણ કરીશ. તારો એ પુત્ર ભવિષ્યમાં જિનશાસનની અપૂર્વ શોભા વધારશે.”
ગુરુદેવનાં વચન સાંભળીને પાહિણીદેવ આનંદવિભોર થઈ ગઈ, તે બોલી : "ગુરુદેવ, તથાસ્તુ. આપે કહ્યું તેવું જ થાઓ. તેણે પોતાના વસ્ત્રના એક છેડે ગાંઠ વાળી, જાણે કે સ્વપ્ર ફળ જ બાંધી દીધું.
એ રાત્રે પાહિણીદેવીની કુક્ષીમાં એક ઉત્તમ જીવ અવતરિત થયો. પાહિણી ગર્ભવતી થઈ અને ગર્ભકાળ પૂર્ણ થતાં તેણે એક પુત્રને જન્મ આપ્યો. ચાચગ શ્રેષ્ઠીએ પુત્રનો જન્મોત્સવ મનાવ્યો. બારમા દિવસે પુત્રનું "ચાંગદેવ” નામ રાખવામાં આવ્યું. આ જ ચાંગદેવ આગળ ઉપર કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી બને છે.
ગુરુદેવ ચાંગદેવમાં યોગ્યતા જુએ છે ઃ
ગુરુદેવ દેવચંદ્રસૂરિજી ધંધુકાથી વિહાર કરી જાય છે. કેટલાંક વર્ષો અન્યત્ર વિચરીને ફરીથી ધંધુકા નગરે પધારે છે. એ સમયે ચાંગદેવ છ - સાત વર્ષનો થઈ ગયો હતો.
એક દિવસ આશ્ચર્યકારક ઘટના બની. આચાર્યદેવ જિનમંદિરમાં દર્શન કરવા ગયા હતા. ત્રણ પ્રદક્ષિણા કરીને તેઓ પરમાત્માની પ્રાર્થનામાં લીન હતા. એ સમયે પાહિણીદેવી સાથે ચાંગદેવ જિનમંદિરમાં પહોંચ્યો અને તે ગુરુદેવના આસન ઉપર બેસી ગયો, પાહિણીદેવી પરમાત્માના દર્શનમાં લીન હતી. ગુરુદેવે ચાંગદેવને તેમના આસન ઉપર બેઠેલો જોયો. તેમના મુખ ઉપર સ્મિત ફરકી ગયું. ચાંગદેવ પણ ગુરુદેવની સામે મંદમંદ હસી રહ્યો છે. એ સમયે પાહિણીને ગુરુદેવે કહ્યું : "હે સુશીલા, તને મારા સ્વપ્રની વાત યાદ છે ? તેં સ્વપ્રમાં ચિંતામણિ રત્ન જોયું હતું અને તે રત્ન તેં ગુરુને આપી દીધું હતું. દેવી, એ જ આ તારો પુત્ર-રત્ન છે. પૂર્ણ પુણ્યોદયથી જે સ્વપ્ર આવે છે તે મિથ્યા થતાં નથી. જો, એ મારા આસન ઉ૫૨ બેસી ગયો છે ને ? એ જ રીતે એ મારી પાટ ઉપર મારો ઉત્તરાધિકારી બનીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org