________________
૨૮
શ્રાવક જીવન રૂપિયાના મૂલ્યની રત્નજડિત તલવાર ચૌલાદેવીને મોકલી.
એ જમાનામાં વારાંગનાઓ આ રીતે અમુક નિધરિતદ્રવ્યથી પ્રેમી સાથે નિશ્ચિત સમય માટે બંધાતી હતી. આ સમયગાળામાં તે બીજા કોઈ પણ પુરુષ સાથે પરિચય રાખતી ન હતી. એક સમપિત પત્નીની જેમ રહેતી હતી.
ભીમદેવને તો પરીક્ષા જ કરવી હતી. તેણે ચૌલાદેવીની હવેલીની આસપાસ ગુપ્તચરો નિડુ કરી દીધા. તેણે વિચાર્યું કે - “હું રાત્રે એ વારાંગના પાસે જઈશ.” પરંતુ એ જ રાત્રે તેને માલવદેશ ઉપર આક્રમણ કરવા માટે સૈન્ય સાથે પાટણથી પ્રસ્થાન કરવું પડ્યું. તે ચૌલાદેવી પાસે જઈ ન શક્યો.
માલવદેશના યુદ્ધમાં બે વર્ષ થઈ ગયાં. ભીમદેવને બે વર્ષ ત્યાં જ વ્યતીત કરવાં પડયાં. માલવ ઉપર વિજય પ્રાપ્ત કરીને જ્યારે તે પાટણ પાછો ફર્યો તે દિવસે તેને ચૌલાદેવી યાદ આવી. તેણે ગુપ્તચરોને બોલાવ્યા અને ચૌલાદેવી અંગે પૂછ્યું. ગુપ્તચરોએ કહ્યું :
"મહારાજ, ચૌલાદેવીએ એક મહાપતિવ્રતા સન્નારીની જેમ શીલવ્રતનું પાલન કર્યું છે. તેની એક પણ ભૂલ અમે નિહાળી નથી. તે આપના પ્રત્યે જ નિષ્ઠાવાળી રહી છે.”
આ રીતે ગુપ્તચરોનો વૃત્તાંત સાંભળીને અને નગરમાં પણ ચૌલાદેવીની પ્રશંસા સાંભળીને ભીમદેવ ચૌલાદેવી પ્રતિ સવિશેષ આકર્ષિત થયો. તેણે ચૌલાદેવી સાથે લગ્ન કરીને પોતાની રાણી બનાવી. જો કે રાજપરિવારમાં ઘણો વિરોધ થયો હતો. પરંતુ ભીમદેવે એ વિરોધની પરવા કરી નહીં. ચૌલાદેવીએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ હતું હરપાલ. હરપાલના પુત્રનું નામ ત્રિભુવનપાલ અને ત્રિભુવનપાલના પુત્રનું નામ કુમારપાળ.* સિદ્ધરાજનો જન્મ :
ભીમદેવના મૃત્યુ પછી કર્ણદેવ ગુજરાતનો રાજા બન્યો. રાજા કર્ણદેવની પટરાણીનું નામ મીનળદેવી હતું. રાજા કર્ણ અને મીનળદેવી સંબંધમાં કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યસૂરીશ્વરે "દ્રયાશ્રમ” મહાકાવ્યમાં આ પ્રમાણે વૃત્તાંત જણાવ્યો છે.
એક દિવસ કર્ણરાજા પાસે એક ચિત્રકાર આવ્યો. તે એક રાજકુમારીનું ચિત્ર
* આ મત છે આચાર્ય મેરૂતુંગસૂરિજીનો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org