________________
પ્રવચન ઃ ૩
योग्यो ह्ययेवंविधः प्रोक्तो जिनैः परहितोद्यतैः । फलसाधनभावेन नातोऽन्यः परमार्थतः !
મહાન શ્રુતધર પરમ કૃપાનિધિ આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ સ્વરચિત "ધર્મબિંદુ" ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ-જીવનનો વિશેષ ધર્મ બતાવ્યો છે. સામાન્ય ધર્મોનો સ્વીકાર અને પાલન હર કોઈ વ્યક્તિ કરી શકે છે, પરંતુ વિશેષ ધર્મનો સ્વીકાર વિશિષ્ટ યોગ્યતાસંપન્ન વ્યક્તિ જ કરી શકે છે.
જેનો આત્મા મિથ્યાત્વથી મુક્ત થયો હોય.
જેનો આત્મા તીવ્ર ક્રોધાદિ કષાયોથી મુક્ત થયો હોય.
જે મનુષ્ય જીવ-અજીવાદિ તત્ત્વોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય.
જેના મનમાં મોક્ષ પ્રત્યે પ્રીતિ અને સંસાર પ્રત્યે અપ્રીતિ ઉત્પન્ન થઈ હોય. જે મનુષ્ય સત્ત્વશીલ હોય.
જેણે ધર્મની ઉપાદેયતા જાણી લીધી હોય.
વિશેષ ધર્મનો સ્વીકાર કરવાની અને પાલન કરવાની સ્વયંની શક્તિનો જે મનુષ્ય સૂક્ષ્મતાથી વિચાર કરી શકતો હોય.
આવો મનુષ્ય જ વિશેષ ધર્મ (બાર વ્રતમય ધર્મ) નો સ્વીકાર કરવા માટે યોગ્ય છે, પાત્ર છે, સમર્થ છે; બીજો નહીં. આ (યોગ્યતાનું) પ્રતિપાદન પરમ હિતકારી પરમાત્મા જિનેશ્વરદેવોએ કર્યું છે.
પરમાત્મા જ પરમ હિતકારી :
યોગ્યતાની વાત કહેનાર કોઈ સામાન્ય સંત-મહંત યા વિદ્વાન નથી, પરંતુ વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર છે. આપણે એમની ઉપર, એમણે કહેલી વાતો ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. જે વીતરાગ હોય છે, જે સર્વજ્ઞ હોય છે, જે "જિન” હોય છે તે વિશ્વસનીય હોય છે; કારણ કે તે સમગ્ર જીવલોકનું હિત કરનારા હોય છે; તેઓ સર્વ સ્વાર્થોથી મુક્ત હોય છે.
પ્રથમ તો હું તમને "જિન" શબ્દનો અર્થ-ભાવાર્થ સમજાવું છું. આ તમારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org