SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૧ ગુરુસેવા કરે છે, દીન દુઃખી લોકો ઉપર અનુકંપા રાખે છે, અને ઔચિત્યપૂર્ણ જીવનવ્યવહાર કરે છે. ફલસ્વરૂપ બંને મહાનુભાવો નગરમાં લોકપ્રિય અને શ્રદ્ધેય બની ગયા. આવા ગીતાર્થજ્ઞાની પુરુષોના ચરણોમાં જીવન સમર્પિત કરીને તેમના માર્ગદર્શન પ્રમાણે જીવન જીવવાથી અનેકાનેક લાભ થાય છે; એટલા માટે જ કહું છું કે આવા કોઈ મહાપુરુષના હાથમાં તમારા જીવનની લગામ સોપી દો. રાજા કુમારપાળના જીવનચરિત્રમાં તમને આ જ વાત જાણવા મળશે; તે છે ગુરુ સમર્પણ. ૧૯ ગુરુ સમર્પણનું બીજ છે ગુરુપ્રીતિ. તેનો પ્રારંભ થાય છે ગુરુપ્રીતિથી. જંગલમાં નરવીરને ગુરુપ્રીતિ થઈ ગઈ હતી. એશિલા નગરીમાં આવ્યા પછી ગુરુભક્તિ જાગૃત થઈ. ગુરુનું શરણ લીધું અને ગુરુસમર્પણ કરી દીધું. આ જ રીતે આઢર શ્રેષ્ઠીના મનમાં પણ ગુરુપ્રીતિ, ભક્તિ, શરણાગતિ અને સમર્પણ ભાવ ઉત્પન્ન થયા. આ બધું અસાધારણ હતું. અપૂર્વ હતું; એટલા માટે જ આ બધા સંબંધો બીજા જન્મો સુધી ચાલ્યા કર્યા અને પ્રીતિભક્તિ વગેરે ભાવો વૃદ્ધિ પામતા રહ્યા. વિકસિત થતા રહ્યા. એમનાં જીવન પવિત્ર......પવિત્રતમ બનતાં રહ્યાં. મોક્ષ-માર્ગી જીવન જીવવા માટે જ્ઞાની-સંયમી મહાપુરુષોનું માર્ગદર્શન આવશ્યક હોય જ છે. આઢર અને નરવીરને આચાર્યશ્રી યશોભદ્રસૂરીશ્વરજીનું માર્ગદર્શન મળી રહ્યું. એક દિવસે આઢર શ્રેષ્ઠી નરવીર સાથે પરમાત્મપૂજા કરવા નિમિત્તે જિનમંદિરે ગયા. આઢર શ્રેષ્ઠી પૂજન માટે પુષ્પ, ફળ, નૈવેદ્ય આદિ શ્રેષ્ઠ સામગ્રી લાવ્યા હતા. ઉલ્લાસપૂર્ણ ભાવથી તેમણે પૂજા કરી. નરવીર પણ એ જ સામગ્રીથી પૂજા કરી શકતો હતો. પરંતુ તેણે વિચાર્યું : "આ પૂજનસામગ્રી તો મારા શેઠની છે; માટે મારી સામગ્રીથી પૂજા કરવી જોઈએ. મારી પાસે પાંચ કોડી છે. પાંચ કોડીનાં પુષ્પો ખરીદીને એ પુષ્પોથી પરમાત્માની પૂજા કરું.” આવું વિચારીને મંદિર બહાર જઈને માળી પાસેથી પુષ્પો ખરીદ્યાં અને એમનાથી પરમાત્માની પૂજા કરી. પુષ્પપૂજા કરતાં તેના હૃદયમાં અપૂર્વ ભક્તિભાવ ઊભરાયો અને તેણે અદ્ભુત પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જિત કર્યું. આ પુણ્ય હતું આગામી જન્મમાં રાજા બનવાનું ! જો કે નરવીર તો જાણતો ન હતો કે તેણે એવું પુણ્યકર્મ બાંધી લીધું છે. કર્મબંધના વિષયમાં તો પૂર્ણ શાની જ બતાવી શકે છે. આપણે તો નિષ્કામ ભાવનાથી શુભકર્મ કરતા રહેવાનું છે. પર્યુષણ પર્વ આવ્યું; એકશિલા નગરીમાં ધર્મયૌવન હેલે ચડ્યું. આચાર્યદેવશ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy