________________
૧૮
શ્રાવક જીવન માર્ગના વિકટ જંગલમાંથી મનુષ્ય સરળતાથી પસાર થઈ જાય છે. જો પુણ્યોદય હોય તો જ વિવેકી સાથી મળે છે. નરવીરનો પુણ્યોદય હતો તેથી તો આઢર શ્રેષ્ઠી જેવા વિવેકસંપન્ન સાથી મળી ગયા. બંનેમાં સરળતા હતી, નિર્દભતા હતી. બંનેમાં સમજદારી હતી અને ગુણસમૃદ્ધિ પણ હતી, એટલે તો ગુરુદેવના અલ્પ પરિચયથી જ તેમણે વ્રતમય ગૃહસ્થધર્મ સમજી લીધો અને મેળવી પણ લીધો. શુભ દિન અને શુભ સમયે ગુરુદેવે આ બંનેને બાર વ્રત પ્રદાન કર્યા. બંને જણા હર્ષવિભોર થઈ ગયા. આઢર શ્રેષ્ઠીએ ગુરુદેવને વંદન કરીને કહ્યું “ગુરુદેવ, આપે અમારા ઉપર પરમ ઉપકાર કર્યો છે, આપ આજ્ઞા કરો, હું આપને શું ગુરુદક્ષિણા આપું?”
ગુરુદેવે કહ્યું "મહાનુભાવ, જૈન શ્રમણ ગુરુદક્ષિણા-ગ્રહણ કરતા નથી, તેઓ તો નિર્મમ અને નિસંગ હોય છે. તેઓ તો પ્રતિ-ઉપકારની આશા રાખ્યા વગર ધર્મોપદેશ આપે છે.”
તો પછી હું આપની શું ભક્તિ કરું? મને કોઈ આજ્ઞા આપીને ઉપકૃત કરો.” આઢર શ્રેષ્ઠીએ અતિ અહોભાવ વ્યક્ત કર્યો. ગુરુદેવે કહ્યું "મહાનુભાવ,. એક ભવ્ય જિનમંદિરનું નિર્માણ કરાવીને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરો.”
આઢર શ્રેષ્ઠીએ ગુરુદેવનો ઉપદેશ સહર્ષ સ્વીકાર્યો અને જિનમંદિરના નિમણિકાર્યનો પ્રારંભ કરી દીધો.
આ બાજુ આચાર્યદિને એકશિલા નગરીમાંથી વિહાર કરવાની વાત કરી દીધી. કારણ કે વર્ષાકાળ નજીક હતો. આઢર શ્રેષ્ઠીએ (સાથે નરવીરે પણ) ગુરુદેવને એકશિલા નગરીમાં જ વષકાળ વ્યતીત કરવાનો આગ્રહ રાખ્યો. ગુરુદેવે વિનંતી સ્વીકારી લીધી. આઢર અને નરવીરના સંવેગમાં અભિવૃદ્ધિ થઈ. ગુરુદેવની કરુણાથી બંને અભિભૂત થઈ ગયા.
આઢરે નરવીરને કહ્યું “નરવીર, આપણો મહાન પુણ્યોદય છે. ગુરુદેવ અહીં વર્ષાકાળ પસાર કરશે, આપણને અવિરત ધર્મોપદેશ સાંભળવા મળશે. ગુરુદેવે આપણા આત્મામાં જે ધર્મબીજ રોપ્યાં છે તે ધર્મબીજ અંકુરિત થશે. વ્રત પાલનમાં આપણને વૃઢતા પ્રાપ્ત થશે. ગુરુદેવે આપણી ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ ઉપકારનો બદલો આપણે કયા જન્મમાં ચૂકવીશું? તેમણે આપણા બંને જન્મ સુધારી દીધા છે. આ જન્મ અને આવતો જન્મ-બંનેય.બોલતાં બોલતાં આઠરનો કંઠ રુંધાઈ ગયો. નરવીરની આંખો પણ ભીની થઈ ગઈ.
આ રીતે બંનેનું સમ્યગ્દર્શન નિર્મળ થતું ગયું. ગુરુશ્રદ્ધાએ બન્ને જણાને પરમાત્માભક્ત અને ધર્મચુસ્ત બનાવી દીધા. બંને પ્રતિદિન પરમાત્મપૂજન કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org