________________
૧૭
ભાગ - ૧ પ. મારા રાત્રિભોજનના ઈન્કારથી મારાં સ્વજનો, મિત્રો વગેરે નારાજ થશે
તે વખતે હું તેમની નારાજગી સહન કરી શકીશ? કે તેમને ખુશ કરવા
પ્રતિજ્ઞા ભંગ કરીશ? આ રીતે પ્રત્યેક પ્રતિજ્ઞા અંગે વિચારવું જોઈએ. ગ્રંથકારના કહેવાનું તાત્પર્ય એ છે કે ભાવોલ્લાસમાં આવીને વગર વિચાર્યું પ્રતિજ્ઞા ન લેવી જોઈએ. પ્રતિજ્ઞા લેવા પહેલાં શાન્ત ચિત્તે, સ્વસ્થ મનથી વિચાર કરવો જોઈએ. જો માણસ પોતે ગંભીરતાપૂર્વક વિચારી શકતો ન હોય તો તેણે બુદ્ધિશાળી મિત્રો સાથે ચર્ચા વિચારણા કરવી જોઈએ, પણ એ મિત્રો વ્રતધારી હોવા જોઈએ, વ્રત-નિયમો પ્રતિ આદર રાખનારા હોવા જોઈએ. જો આવા મિત્રો ન હોય તો વ્રત આપનારા જ્ઞાની ગુરુદેવ સાથે પરામર્શ કરવો જોઈએ.
નરવીરે આઢર શ્રેષ્ઠી સાથે પરામર્શ કર્યો. નરવીર માટે આ શ્રેષ્ઠી જ શ્રદ્ધેય અને આધારભૂત હતા. આઢર શ્રેષ્ઠી પોતે પણ વ્રતગ્રહણ કરવાની ભાવનાવાળા હતા. અર્થાતુ આઢર શ્રેષ્ઠી વ્રતચાહક હતા, એટલા માટે જ તે નરવીરને યથોચિત માર્ગદર્શન આપી શકતા હતા, તેના મનોબળને વૃઢ કરી શકતા હતા.
આઢર શ્રેષ્ઠીને એ તો ખ્યાલ હતો જ કે નરવીર સત્ત્વશીલ પુરુષ છે. ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાનું પ્રાણાન્ત સુધી પાલન કરી શકે છે. ધર્મ માટે તે પ્રાણત્યાગ કરી શકશે, પરંતુ પ્રાણ માટે ધર્મત્યાગ નહીં કરે. તેમણે નરવીરને કહ્યું : "નરવીર, તારે નિર્ભય અને નિશ્ચિંત થઈને વ્રત ગ્રહણ કરવું; તું બાર વ્રતોનું પાલન કરી શકીશ. હું તારી સાથે જ છું. હું પણ વત ગ્રહણ કરીશ. તારે મારી પાસે જ રહેવાનું છે ને ! આપણે સાથે જ આનંદપૂર્વક વ્રતપાલન કરીશું. હવે તું નોકરી અને હું શેઠ નહીં, પરંતુ આપણો સંબંધ સાધર્મિકનો બની જશે. તું મારો સાધર્મિક બંધુ બનીશ.
હા, એક વાત છે, જ્યારે પણ તારું મન વ્રતપાલનમાં શિથિલ બની જાય, ઢીલું પડી જાય ત્યારે મને એ વાત જણાવી દેવી. અને કદી મારું મન ઢીલું પડી જશે તો હું તને જણાવી દઈશ. આનાથી આપણે એક બીજાને સહાયક થઈ શકીશું. આપણી ધર્મ-આરાધના ખૂબ સારી થશે.”
નરવીરનું દય હર્ષથી ગદ્ગદિત થઈ ગયું, આંખોમાં હર્ષનાં આંસુ ઊમટી આવ્યાં. તેણે આઢર શ્રેષ્ઠીનાં ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું : "હે પૂજ્ય, આપ જ્યારે કહેશો ત્યારે આપણે ગુરુદેવ પાસે જઈને વ્રત અંગીકાર કરીશું.”
ધર્મ-આરાધનાના માર્ગમાં જો કોઈ સાથી-સંગાથી મળી જાય તો અપૂર્વ ઉત્સાહથી ઘમરાધના સંપન્ન થાય છે. વિવેકી અને સમજુ સાથી હોવાથી મોક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org