________________
૧૬
શ્રાવક જીવન
લાગે કે “કોઈ પણ સંજોગોમાં વ્રતભંગ નહીં થવા દઉં.....પ્રાણ ભલે જાય પરંતુ વ્રતભંગ નહીં કરું.” તો વ્રત સ્વીકારવું જોઈએ.
એક દૃષ્ટાંતથી આ વાત સ્પષ્ટ કરું છું. માની લો કે મારા ઉપદેશથી તમારા મનમાં ભાવના જાગી કે કંદમૂળ નથી ખાવાં, તેમનો ત્યાગ કરવો છે.” તમે મારી પાસે પ્રતિજ્ઞા લેવા આવ્યા તો તમારે વિચારવું જોઈએ કે
-
૧. કોઈ લગ્ન પ્રસંગે જવાનું થતાં ત્યાં બટાટા, ડુંગળી વગેરેનાં શાકભાજી હશે તો શું વગર શાકભાજીએ હું ભોજન કરી શકીશ ?
૨. કોઈક વાર લાંબી મુસાફરીમાં માત્ર કંદમૂળનાં જ શાકભાજી મળશે ત્યારે શાકભાજી વગર માત્ર દૂધ યા દહીં સાથે જ રોટલી-પૂરી ખાઈને ચલાવી
લઈ શકીશ ને ?
૩. કદીક હોટલમાં ખાવાનો પ્રસંગ આવ્યો અને ત્યાં કંદમૂળવાળી દાળ યા શાકભાજી હોય તો શું એ વગર હું ભોજન કરી શકીશ ?
૪. મિત્રો સાથે કોઈ પાર્ટીમાં ગયા, જો ત્યાં કંદમૂળની બનેલી વસ્તુ નહીં ખાઉં તો મિત્રો મારી મજાક ઉડાવશે.......ખાવા મને આગ્રહ કરશે, તેવા પ્રસંગે હું મારી પ્રતિજ્ઞામાં દૃઢ રહી શકીશ ?
એક બીજું દૃષ્ટાંત સાંભળી લો. તમારા મનમાં રાત્રિભોજન ત્યાગની ભાવના જાગી; તમે પ્રતિજ્ઞા લેવા વિચાર પણ કર્યો. તમારે અતિ સૂક્ષ્મતાની સાથે તમારા મનોબળનો વિચાર કરવો જોઈએ કે
૧. કોઈ લગ્ન પ્રસંગોમાં, કોઈ પાર્ટી વગેરેમાં ભોજનનું નિમંત્રણ આવશે; ભોજન પ્રાયઃ રાત્રિ સમયે જ હશે. તો શું હું સ્પષ્ટ ઈન્કાર કરી શકીશ ? ”હું રાત્રિભોજન નથી કરતો” એવી સ્પષ્ટ વાત કરી શકીશ ?
૨. કોઈક વા૨ કાર્યવશાત્ સૂયસ્તિ પૂર્વે ઘેર પહોંચી ન શક્યો, સૂર્યાસ્ત થઈ ગયો; તો શું ભોજન વગર ચલાવી લઈ શકીશ ?
૩. ઘરમાં મારા સિવાય બધાં જ રાત્રિભોજન કરે છે, તેમને પ્રતિદિન રાત્રિ ભોજન ક૨તાં જોઈને મારા મનમાં રાત્રિભોજન ક૨વાની ઈચ્છા પ્રકટ તો નહીં થાયને ?
૪. કદીક રાતના સમયે અતિશય ભૂખ લાગવાથી રાત્રિભોજન કરવા તૈયાર નહીં થઈ જાઉં ને ? વ્રતભંગ તો નહીં થાય ને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org