SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રાવક જીવન શ્રાવક ધર્મ બતાવ્યો છે. મારે તે ગ્રહણ કરવો જોઈએ. પરંતુ શું હું એ શ્રાવક ધર્મનું સમુચિત પાલન કરી શકીશ? મારે આઢર શ્રેષ્ઠી સાથે ચર્ચા કરવી જોઈએ. કારણ કે તે પણ શ્રાવક ધર્મ સ્વીકારવાની વાત કરતા હતા.” જ્યારે આઢર શ્રેષ્ઠીએ અને નરવીરે ગુરુદેવની સામે બાર વતમય શ્રાવક ધર્મ અંગીકાર કરવાની ભાવના વ્યક્ત કરી ત્યારે ગુરુદેવે કહ્યું : “મહાનુભાવો, તમે ધર્મની ઉપાદેયતા સમજીને વ્રતમય શ્રાવકધર્મ સ્વીકારવાની ભાવના વ્યક્ત કરી તેનાથી મને ઘણો સંતોષ થયો છે, પરંતુ તમે તમારી શક્તિ અને સામર્થ્યનો વિચાર કરી લો. તમે વ્રતોનું જીવનભર પાલન કરી શકશો કે નહીં. ભાવોલ્લાસમાં વ્રત ગ્રહણ કરી લેવું સરળ હોય છે પરંતુ પાલન કરવું કપરું કામ છે, દુષ્કર છે.” નરવીરે કહ્યું "ગુરુદેવ, એવું કેમ થાય છે ?" આચાદવે કહ્યું "મહાનુભાવ, મનના ભાવ સ્થિર હોતા નથી. અત્યારે તારું મન વ્રતધર્મનો સ્વીકાર કરવા ઉલ્લાસમાં છે, પરંતુ એ ઉલ્લાસ જીવન પર્યન્ત ટકી શકતો નથી. જ્યારે ઉલ્લાસ ચાલ્યો જશે ત્યારે વ્રતોનું પાલન મુશ્કેલ બની જશે. કોઈક વાર વ્રતભંગ કરવાનો વિચાર પણ આવી શકે છે. હા, મનનો ઉલ્લાસ ચાલ્યો ગયો હોય તે પછી પણ જો મનની દ્રઢતા હોય તો પ્રાણાન્ત પણ વ્રતભંગ થતો નથી. એટલા માટે તમે બંને સૂક્ષ્મ બુદ્ધિથી વિચારી લો; પોતપોતાની માનસિક શક્તિ અંગે પણ વિચાર કરી જુઓ. વગર વિચાર્યું, શક્તિ વગર વ્રતગ્રહણ કરવામાં વ્રતભંગ થવાની સંભાવના રહે છે, એથી ઘણો મોટો અનર્થ થાય છે. જેમ વ્રત પાલન મહાન ફળ આપે છે તેમ વ્રતભંગ અતિ હાનિકતાં પણ બને છે.” આચાર્યદિવની વાત બંને મહાનુભાવોને ગંભીરતાપૂર્વક વિચારવા માટે બાધ્ય કરે છે. આ વાત અમને એટલે કે ઉપદેશકોને પણ વિચારવા પ્રેરણા આપે છે, વિવશ કરે છે. સભામાંથી આપને વળી શું વિચારવાનું છે? મહારાજશ્રી: અમારે એ વિચારવાનું છે કે વ્રત લેનાર, પ્રતિજ્ઞા......અભિગ્રહ લેનાર વ્રત, પ્રતિજ્ઞા, અભિગ્રહ ગ્રહણ કરીને તેનું પાલન કરી શકશે કે નહીં? વ્રત ધારણ કરવાની ઈચ્છાવાળા લોકોને વિચારવા માટે પ્રેરિત કરવાં જોઈએ કે તમે ગંભીરતાથી વિચારી લ્યો કે તમે વ્રત-પાલન કરી શકશો કે કેમ? કેટલાક ધર્મગુરુઓ તો વ્રત અંગીકાર કરનારાઓની યોગ્યતા-અયોગ્યતા પણ વિચારતા નથી. તેમની ભાવના છે કે નહીં એ પણ વિચારતા નથી. નિયમ પ્રતિજ્ઞા આપી દે છે, અને આવા ઘણા લોકોને વ્રતભંગ કરતાં મેં જોયા છે. પૂછવામાં આવતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy