________________
- ૧૩
ભાગ - ૧ આશ્રય, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ તત્ત્વોનું સ્વરૂપ સમજાવ્યું. બંનેએ નવતત્ત્વોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આમ તેમના હૃદયમાં પરમાત્મા જિનેશ્વર દેવના ધર્મશાસન ઉપર અનુરાગ વધવા લાગ્યો.
આ બંનેમાં જેમ જેમ પાપ અને પુણ્યનો વિવેક વિકસિત થતો ગયો તેમ તેમ સંસારનાં ભૌતિક સુખોની મમતા-આસક્તિ ઓછી થતી ગઈ. જો કે મોક્ષની સુરેખ કલ્પના આવવી તો શક્ય ન હતી, છતાં પણ મોક્ષની-મુક્તિની વાતો તેમને ગમતી હતી. આત્માના શુદ્ધ સ્વરૂપની વાતો તેમને પ્રિય લાગવા માંડી. એમને ધર્મ ઉપાદેય. લાગવા માંડ્યો, એટલે કે જીવનમાં ધર્મની આવશ્યકતા જણાવા લાગી.
સભામાંથી શું નરવીરના જીવનમાં આટલું પરિવર્તન સંભવિત છે? ડાકુજીવનનું કોઈ વ્યસન એનામાં રહ્યું નહીં હોય?
મહારાજશ્રી ઃ હા, પરિવર્તન "સત્ત્વ” પર નિર્ભર રહે છે. સાત્ત્વિક મનુષ્ય ડાકમાંથી સાધુ બની શકે છે; એનાં ઉદાહરણો ઇતિહાસમાંથી પ્રાપ્ત થાય છે. અર્જુનમાલી અને દ્રઢપ્રહારીનાં દ્રષ્ટાંતો શાસ્ત્રપ્રસિદ્ધ છે. વાલ્મીકિની ઘટના પણ તમે બધા જાણો છો. વર્તમાન કાળમાં પણ મેં એવી વ્યક્તિઓ જોઈ છે....કે જેમણે સર્વ વ્યસનોને એકી સાથે ત્યજી દઈને સંયમમય જીવન બનાવ્યું હોય.
મનુષ્યમાં સાત્ત્વિકતા હોવી જોઈએ. નરવીર સાત્ત્વિક પુરુષ હતો, અને એને આઢર જેવા સંસ્કારી પુરુષનો યોગ મળી ગયો. આઢરના ઘરમાં કોઈ વ્યસન ન હતું. બધાં જ માણસો સચ્ચરિત્રયુક્ત હતાં, એટલે જ નરવીરને સારું વાતાવરણ મળી ગયું. મનુષ્યના ચરિત્રનિમણિમાં વાતાવરણની ભૂમિકા અતિ મહત્ત્વની છે. જો સારું વાતાવરણ મળી જાય તો સચ્ચરિત્રનું નિમણિ થાય છે અને ખરાબ વાતાવરણ મળ્યું તો ખરાબ ચરિત્રનું નિર્માણ થાય છે. જો પોતાનું અને પરિવારનું સચ્ચરિત્ર નિર્માણ કરવા ઈચ્છતા હો તો સારા વાતાવરણમાં રહો.
નરવીરનો ભાગ્યોદય થવાનો હતો ને? તેને આઢર શેઠનો પરિવાર રહેવા મળ્યો અને ગુરુદેવ યશોભદ્ર સૂરીશ્વરજીનો સમાગમ પ્રાપ્ત થયો. તેનું આંતરિક વ્યક્તિત્વ વિકસવા લાગ્યું, તેને ધર્મતત્ત્વનો બોધ થવા લાગ્યો. જેમ જેમ તે અહિંસા, સત્ય, અચૌર્ય, સદાચાર, અપરિગ્રહ વગેરે ધર્મતત્ત્વોને સમજતો ગયો તેમ તેમ તે તત્ત્વો તેના મનને પ્રિય લાગવા માંડ્યાં.
તે વિચારવા લાગ્યોઃ “વાસ્તવમાં ઘમ જ મિત્ર છે અને ઘમ જ સ્નેહી છે. મૃત્યુ પછી આત્મા સાથે માત્ર એક ધર્મ જ આવે છે. બાકીનું બધું જ શરીર સાથે નાશ પામે છે. એટલા માટે મારે ધર્મ સાથે સંબંધ બાંધવો જોઈએ. ગુરુદેવે બાર વ્રતમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org