________________
ભાગ ૧
૧૧
"વત્સ ! તારો શુભોદય છે કે તને જિનધર્મનો ઉપદેશ પ્રિય લાગ્યો. આ મનુષ્ય જીવનમાં ધર્મ-પુરુષાર્થને જ પ્રાધાન્ય આપવું જોઈએ. જેથી વર્તમાન અને ભવિષ્ય કાલીન-બંને જીવન સુખમય બને.”
આઢર અને નરવીરે ગુરુદેવનાં ચરણોમાં વંદના કરી અને ઘેર પાછા આવ્યા.
ધર્મોપદેશ શ્રવણનો પ્રથમ પ્રતિભાવ છે વિગત કલ્મષતા. એટલે કે પાપ-મુક્તિ. આઢર શેઠની પણ મિથ્યાત્વના પાપોથી અને અનંતાનુબંધી કષાયોના પાપોથી મુક્તિ કેવી રીતે થાય છે, અને આ બંને પુણ્યશાળી જીવાત્માઓમાં બીજા કયા પ્રતિભાવો જોવા મળે છે, એ આગળ ઉપર બતાવીશ.
"ધર્મબંદુ" ના તૃતીય અધ્યાયની સાથે સાથે "કુમારપાળચરિત્ર" પર પણ પ્રવચનો થતાં રહેશે.
સર્વ પ્રથમ કુમાળપાળનો પૂર્વજન્મ-વૃત્તાંત બતાવી રહ્યો છું. આજ આટલું જ.
Jain Education International
✰✰✰
For Private & Personal Use Only
www.jainelibrary.org