SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રાવક જીવન જાય છે. અને પુણ્યકર્મ પ્રાપ્ત થાય છે. હું યશોભદ્રસૂરિજી પાસે જઈશ.” વિવેકી મનુષ્યને કલ્યાણ માર્ગની પ્રાપ્તિ સુલભ હોય છે; આઢર શેઠ વિવેકી હતો. સત્સંમાગમનો મહિમા તેના હૃદયમાં હતો; એટલા માટે તેણે નરવીરને ઠપકો ન આપ્યો કે "તું શા માટે સાધુઓ પાસે જાય છે... શું મળે છે ત્યાં ? ઘરનું કામ કર્યા કર, અને જવું હોય તો અઠવાડિયામાં એક વાર જવું, રોજ રોજ ન જવું.” વગેરે. આવી કોઈ વાત આઢ૨ શેઠે કરી નહીં, વિવેકી હતો ને ! વિવેકશીલ પ્રત્યેક વાતમાં સારપ ગ્રહણ કરે છે. ઉપયોગી વાત ગ્રહણ કરે છે. આઢ૨ શેઠે નરવીરને કહ્યું ઃ “નરવીર ! કાલ પ્રાતઃકાળે હું પણ તારી સાથે ગુરુદેવનાં દર્શન કરવા આવીશ." નરતીર આનંદિત થઈ ગયો. “શેઠજી, આપ અવશ્ય પધારજો. મારા ગુરુદેવ ચંદ્ર સમાન શીતળ છે અને સૂર્ય સમાન તેજસ્વી છે. તે જ્ઞાની છે. તેમની વાણી સાકર કરતાં ય વધુ મધુર છે. તેમનો ઉપદેશ સાંભળી આપનું હૃદય આનંદથી ભરાઈ જશે.” પોતાના ગુરુદેવની પ્રશંસા કરતાં કરતાં નરવીર ગદિત થઈ ગયો, આંખો ભરાઈ ગઈ. આઢર શેઠ નરવી૨ની ગુરુભક્તિ જોઈને હર્ષાવભોર થઈ ગયા. તેમનું મન બોલી ઊઠયું. "સાચી શાન્તિ આવા સાધુ પુરુષોના સંગમાં જ પ્રાપ્ત થાય છે. આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરેલા આ સંસારમાં અન્યત્ર શાન્તિ કર્યાં છે ? નરવીર ! તું ધન્ય છે; પુણ્યશાળી છે..... તને શાન્તિદાતા ગુરુ મળી ગયા !” આઢર શ્રેષ્ઠી બીજે દિવસે પ્રાતઃકાળે નરવીરને લઈને ગુરુદેવ પાસે પહોંચી ગયા. ગુરુદેવના દર્શન કરીને તે ભાવવિભોર થઈ ગયા. નરવીરે ગુરુદેવનું જે વર્ણન કર્યું હતું. તે તેમને અપૂર્ણ લાગ્યું. ગુરુદેવની અદ્ભુત પ્રતિભા જોઈને આઢર શ્રેષ્ઠી અત્યંત પ્રભાવિત થઈ ગયા. તેમણે સાષ્ટાંગ પ્રણામ કર્યા અને વિનયપૂર્વક ગુરુદેવની સામે બેસી ગયા. ગુરુદેવે બંનેને "ધર્મલાભ” ના આશીર્વાદ આપ્યા. અને ધર્મોપદેશ આપ્યો. આચાર્યદેવે આઢર શેઠને પોતાની જ્ઞાનવૃષ્ટિથી નિહાળીને, તેમનું ભવિષ્ય જોયું. તેમનો અંતરાત્મા પુલકિત થઈ ગયો. તેમણે આઢરને લક્ષ્ય બનાવીને ધર્મોપદેશ આપ્યો. આઢરને આ ધર્મોપદેશ અમૃતતુલ્ય લાગ્યો. ધર્મોપદેશ પૂર્ણ થતાં જ આઢર શેઠે કહ્યું : ‘ગુરુદેવ, અમે પ્રતિદિન પ્રાતઃકાળે ધર્મોપદેશ સાંભળવા આપની સેવામાં આવીશું. આજ આપની અમૃતમયી વાણી સાંભળીને મને અત્યંત હર્ષ થયો છે. આપે મારી ઉપર પરમ કૃપા કરી છે. પરમ ઉપકાર કર્યો છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy