________________
ભાગ - ૧ કહું છું કે પ્રામાણિક બનીને, વફાદારી નભાવીને જીવો. પ્રામાણિકતા અને વફાદારીથી તમારી ઉન્નતિ થશે. નરવીરની ઉન્નતિ પાછળ એના આ બે મુખ્ય ગુણ
હતા.
યશોભદ્રજી એકશિલા નગરીમાં
નરવીરના ભાગ્યોદયને લીધે જ આચાર્યદેવ યશોભદ્રસૂરિજી એકશિલા નગરીમાં પધાર્યા. રસ્તામાંથી પસાર થતા આચાર્યદિવને નરવીરે જોયા. તેનાં નેત્રો આનંદિત થઈ ગયાં. તે વિચારવા લાગ્યો : "આ જ પેલા મુનિરાજ છે, જે મને જંગલમાં મળ્યા હતા. તેમણે મને ભોજન અપાવ્યું હતું, અને નગરીમાં આવવાની પ્રેરણા આપી હતી. આ મહાપુરુષે મારા ઉપર કેટલો મહાન ઉપકાર કર્યો છે ! હું એમની પાસે જઈશ અને તેમની સેવા કરીશ.”
આ ગુણ-કૃતજ્ઞતા નરવીરનો બીજો વિશિષ્ટ ગુણ હતો. ઉપકારીના ઉપકારોને યાદ રાખવા એ વિશિષ્ટ ગુણ છે. આ ગુણ સર્વ જીવોમાં નથી હોતો, ઘણા ઓછા જીવોમાં હોય છે. જેની ઉન્નતિ થઈ રહી હોય, આત્મવિકાસ સધાતો હોય, તેનામાં જ આ ગુણ હોય છે. નરવીર ભાવિ રાજા કુમાળપાળનો જીવ છે ને ! નર ? આચાર્યદિવની સેવા કરવાનો વિચાર કરે છે.
"હું ઘરનું કામ પૂર્ણ કરીને જયાં ગુરુદેવ બિરાજતા હશે ત્યાં ચાલ્યો જઈશ, અને તેમની સેવા કરીશ.” નરવીરે આચાર્યદિવના બિરાજવાની જગા જોઈ લીધી. ઘરનું કામ પૂરું કરીને તે ત્યાં જવા લાગ્યો અને આચાર્યદેવની સેવા કરવા લાગ્યો. આચાર્યદિને નરવીરના જીવન પરિવર્તનથી અતિ સંતોષ અનુભવ્યો. વાસ્તવમાં નરવીરનું પરિવર્તન અભુત હતું. તે ઘણો શાન્ત, સંતોષી અને ગુણવાન બની ગયો હતો! એક વખતનો ભયાનક ડાકુ આજ કેટલો પ્રશાન્ત થઈને ગુરુસેવા કરી રહ્યો હતો ! તમે કલ્પના કરશો તો જ જીવન-પરિવર્તનની મહત્તાનો ખ્યાલ આવશે.
જ્યારે દિવસે ઘણો સમય નરવીર ઘરથી બહાર રહેવા લાગ્યો ત્યારે એક દિવસ આઢર શ્રેષ્ઠીએ પૂછયું : "નરવીર ! તું ભોજન પછી બપોરના સમયે ક્યાં જાય છે ?" "શેઠજી ! આપની નગરીમાં મારા ગુરુ પધાર્યા છે, તેમનું નામ છે યશોભદ્રસૂરિજી. હું તેમની પાસે જાઉં છું. તેમના વચનામૃતનું પાન કરવું મને ખૂબ જ ગમે છે.” નરવીરે કહ્યું.
નરવીરની વાત સાંભળીને આઢર શેઠ વિચારવા લાગ્યા. હું પણ આવા સંત પુરુષ પાસે કેમ ન જાઉં? સંત પુરુષોનો ધર્મોપદેશ મનુષ્યને શક્તિ આપે છે. અને સાધૂનાં દર્શન પુષ્યમ્ | સાધુઓનાં દર્શન માત્રથી જ મનુષ્યનાં પાપો ધોવાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org