SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - 1 211 પડે છે. મહારાજશ્રી આવી પ્રથા ખોટી છે. બંધ કરી દેવી જોઈએ એવી પ્રથાઓ. પૈસા લેવા હોય તો લો પરંતુ પૌષધદ્રત દૂષિત થાય એવી રીતે ન લેવા જોઈએ. પૌષધવત આ ચાર વાતોથી જ મહત્ત્વપૂર્ણ છે. ચાર મહાન આદર્શો * આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવવા માટે ઉપવાસ છે * દેહાસક્તિ તોડવા માટે શરીર શૃંગાર વર્ષ છે. * મૈથુન સંજ્ઞા ઉપર વિજય પામવા માટે બ્રહ્મચર્યપાલન છે. 0 પરિગ્રહસંજ્ઞા પર વિજય પામવા અ-વ્યાપાર છે. સર્વ સાવદ્ય (પાપ) ના ત્યાગરૂપ તો છે જ આ પૌષધદ્રત, પરંતુ આ ચાર વાતો ઉપર વિશેષ લક્ષ્ય આપવું અતિ આવશ્યક છે. આહારસંજ્ઞાથી જે અનર્થ પેદા થાય છે, તે અનથોને તમે જાણો તો ઉપવાસનું મહત્ત્વ સમજી શકશો. આહાર એટલે કે ખાવાપીવાની મનોવૃત્તિ. ભૂખ લાગે છે અને ખાવાની ઈચ્છા થાય છે એ આહાર સંજ્ઞા નથી. પણ ભૂખ ન હોય ત્યારે પણ ખાવાના જ વિચારો મનમાં આવે તે આહાર સંજ્ઞા છે. સભામાંથી ઉપવાસ કરીએ છીએ તો ખાવાના વિચારો વધારે આવે છે. એટલે ઉપવાસનાં પારણામાં ભાન રહેતું નથી ! મહારાજશ્રી: જો તમે "મારે આહારસંજ્ઞા ઉપર વિજય મેળવવો છે.” એ દ્રષ્ટિથી ઉપવાસ કરશો તો ઉપવાસના દિવસે ખાવાનો વિચાર નહીં આવે, પરંતુ અમારે અણાહારી બનવા માટે શું કરવું જોઈએ ”એ વિચારો આવશે. પૌષધવ્રતની સાથે ઉપવાસ થતાં ચિંતન, મનન કરવાનો અવકાશ મળે છે. આહારસંજ્ઞાને નિર્મૂળ કરવાના ઉપાયો વિચારી શકાય છે. બીજી વાત છે દેહાસક્તિ તોડવાની. દેહની, શરીરની આસક્તિ તોડવા માટે પહેલો ઉપાય છે - દેહને સજાવવો નહીં, દેહના રૂપને જોવું નહીં, દેહની વધારે તુષ્ટિપુષ્ટિ કરવી નહીં, પરંતુ પ્રતિદિન સંસાર વ્યવહારમાં આ વાત સંભવિત નથી. એટલા માટે પૌષધદ્રત”માં શરીર શૃંગાર ન કરવાનું કહેવામાં આવ્યું છે. મહિનામાં આવાં બે ચાર પૌષધ કરી લેવામાં આવે અને એમાં "શરીર અને આત્મા” ના ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે તો દેહાસક્તિ તૂટી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy