SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ 202 શ્રાવક જીવન પશ્ચાત્તાપ કરશે, પ્રાયશ્ચિત્ત પણ કરી લેશે. વ્રત છોડવા છતાં પણ વ્રતનો પક્ષપાત ટકી રહેશે તો માણસ વ્રત અને વ્રતધારીઓનો પ્રશંસક બનશે. વ્રત અને વ્રતધારીઓની પ્રશંસા એ વ્રતપક્ષપાતની નિશાની છે. એટલા માટે કોઈવાર વ્રતભ્રષ્ટ વ્યક્તિ વ્રત અને વ્રતધારીઓની પ્રશંસા કરે તો તમે એને દંભ ન માનતા અને એનો ઉપહાસ ન કરતા. તેનું મૂલ્યાંકન કરવાનું હોય. આ મહાનુભાવ વતભ્રષ્ટ થયા છે. પરંતુ તેના દ્ધયમાં વ્રતનો પક્ષપાત છે, એટલે કોઈક વાર આ વ્યક્તિ ફરીથી વ્રતધારી બની શકે છે.” એવું વિચારવાથી વ્રત સાપેક્ષતાના ભાવનું મૂલ્યાંકન થાય છે. આ વાતને પુષ્ટ કરનારાં વૃષ્ટાંતો છે નંદિષેણ મુનિ, આષાઢભૂતિ મુનિ, અરણિક મુનિ વગેરે. અલબત્ત, મોહનીય કર્મના પ્રબળ ઉદયથી તેઓ વ્રતભ્રષ્ટ થયા હતા જરૂર, પરંતુ તેમના દ્ધયમાં વ્રતોનો પક્ષપાત જરૂર હતો. એટલા માટે જ્યારે તેમને ઉત્થાનનું નિમિત્ત મળ્યું તો તેઓ જાગૃત થઈ ગયા અને ફરી વ્રતધારી બની ગયા. - કોઈ કોઈ વાર એવાં વ્રતધારી શ્રાવક-શ્રાવિકા અમારી પાસે આવે છે. વ્રતોમાં જે દોષ આવે છે તે તેઓ કહે છે અને પ્રાયશ્ચિત્ત લઈ લે છે. વ્રતભંગ થઈ ગયો હોય તો તે પણ તેઓ કહે છે, પ્રાયશ્ચિત્ત લઈને તેઓ પોતાના આત્માને નિર્મળ બનાવે છે. વ્રતો પ્રત્યે પ્રેમ હોય છે, એટલા માટે વ્રતભંગ થતાં Æયમાં દુઃખ થાય છે અને પ્રાયશ્ચિત્ત કરવાની ભાવના હોય છે. સભામાંથી તો પછી વ્રતભંગ કેવી રીતે થાય છે? મહારાજશ્રી સત્ત્વ ઓછું થઈ જતાં! બેટરીમાં પાવર હોવા છતાં પણ પ્રકાશ નથી આવતો, એવું થાય છે ને ? પાવર છે, પરંતુ પાવરલેસ ! એ રીતે વ્રત છે, પરંતુ સત્ત્વ ઓછું થઈ જતાં યા નષ્ટ થઈ જતાં વ્રતભંગ થઈ જાય છે. નવા સેલ્સ નાખી દો બેટરીમાં....પછી પ્રકાશ જ પ્રકાશ. આમ સત્ત્વ જાગૃત થઈ જતાં ફરીથી વ્રતપાલન શરૂ થઈ જાય છે. વ્રતપાલન માટે સત્ત્વ જોઈએ : વ્રતપાલનમાં સત્ત્વ એ આધાર છે, એટલા માટે સત્ત્વ ટકાવી રાખવું જોઈએ. સત્ત્વ ટકાવી રાખવા માટે સત્ત્વશીલ પુરુષોનો સંપર્ક....પરિચય રાખવો જોઈએ. સત્ત્વશીલ, વ્રતધારી સ્ત્રીપુરુષોના પરિચયથી તમારી બેટરી "ચાર્જ" થતી રહેશે. પાવર નબળા નહીં પડી જાય. વ્રતપાલનમાં દ્રઢતા જળવાઈ રહેશે. વ્રતપાલનમાં ગમે તેવાં નિમિત્તો આવી પડે, છતાં તમે વ્રતમાં દ્રઢતા સાચવી રાખી શકશો. વ્રતને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy