________________ 201 ભાગ - 1 આ રીતે પાંચ અતિચાર બતાવ્યા છે. 1. પહેલો અતિચાર છે, બહારથી વસ્તુ મંગાવવાની ચાલાકી કરવી. 2. બીજો અતિચાર છે, વસ્તુ મર્યાદાથી બહારના ક્ષેત્રમાં મોકલવી. 3. ત્રીજો અતિચાર છે, બહાર ઊભેલા માણસને બોલાવવા છીંક ખાવી, ખૂંખારો કરવો વગેરે. 4. ચોથો અતિચાર છે, બહાર ઊભેલા માણસને પોતાનું રૂપ બતાવવાની ચેષ્ટા કરવી. 5. પાંચમો અતિચાર છે, કાંકરી વગેરે ફેંકીને "હું અહીં આવ્યો છું” એવું સૂચવવાની ચેષ્ટા કરવી. સભામાંથી સ્વેચ્છાથી વ્રત લેનાર મનુષ્ય આવા અતિચાર, આવી ભૂલો શા માટે કરે છે ? હા, કોઈના આગ્રહથી, અનિચ્છાએ વ્રત લેવાનું છે તો આવી ભૂલો કરવી સંભવ છે. મહારાજશ્રી વ્રત ગ્રહણ કરતી વખતે મનુષ્યના ભાવ વિશુદ્ધ અને પ્રવર્ધમાન હોય છે. એ સમયે તે વિચારે છે કે "હું જેવી રીતે વ્રત લઉં છું એ રીતે પાલન કરીશ.” પરંતુ જીવાત્માના ભાવ એક સરખા નથી રહેતા. કોઈકવાર વધે છે, કોઈક વાર ઘટે છે. તો વળી કોઈક વાર ભાવ સ્થિર પણ રહે છે. આ મનનો સ્વભાવ છે. વ્રત લેતી વખતે ભાવ વધેલા હોય છે. વ્રત લીધા પછી ભાવ ઓસરી પણ જાય છે. જ્યારે ઓસરી જાય છે ત્યારે આ દોષ, આ અતિચારો લાગે છે. પતન પામતું મન અશુભ વિચારોને પ્રવાહિત કરે છે. વ્રત ગ્રહણ કર્યા પછી ભાવ ઓસરી જતાં વ્રત બંધનરૂપ લાગે છે. છતાં પણ જો ગૃહસ્થ પાપભીરુ હોય તો વ્રતભંગ કરવાનું નહીં વિચારે. વ્રતભંગ ન થાય એ વાતની સાવધાની રાખીને વ્રતોને માત્ર દોષ લાગે એવું કામ કરશે. "મારું વ્રત તૂટ્યું તો નથી ને? તૂટવું ન જોઈએ....” એવું વિચારે છે. આ પણ તેની "વ્રત સાપેક્ષતા” છે. જ્ઞાની પુરુષોએ "વ્રત સાપેક્ષતા” નું મૂલ્યાંકન વધારે કર્યું છે. વ્રતસાપેક્ષતા જોઈએ જ H વ્રત-સાપેક્ષતા એટલે કે વ્રતનો પક્ષપાત. વ્રતધારી મનુષ્યને વ્રતનો પક્ષપાત હોવો જ જોઈએ. કોઈવાર પાપકર્મોનો પ્રબળ આવે. આવતાં તે પાપ કરવાનું વિચારી લે છે, અને પાપ કરી પણ બેસે છે. પરંતુ તેના દયમાં વ્રતનો પક્ષપાત હશે તો તે ફરીથી વ્રતમાં સ્થિર થશે અને વ્રતભંગ કરવાનો યા દૂષિત કરવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org