________________ પ્રવચન : પરમ કૃપાનિધિ, મહાન મૃતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત "ધમબિંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થજીવનનો વિશેષ ધર્મ બતાવે છે. વિશેષ ધર્મ છે બાર વ્રતોનો. સમ્યગુદ્રષ્ટિ ગૃહસ્થ જો બાર વ્રતોનું યથાશક્તિ પાલન કરે તો તે આ વર્તમાન મનુષ્ય જીવનને તો ધન્ય બનાવે જ છે, પણ આગામી જન્મોને પણ ધન્ય બનાવે છે. અનંત અનંત પાપોથી તે બચી જાય છે. અને જે પાપો કરવો પડે છે અને એ પાપોથી જે કર્મબંધ પડે છે. તે અતિ અલ્પ હોય છે. કારણ કે વ્રતધારી ગૃહસ્થ રસપૂર્વક પાપ નહીં કરે. ર્દયમાં દુઃખ ધારણ કરતો તે પાપ કરશે કે જે અનિવાર્ય રૂપમાં સંસારમાં કરવું પડે છે. દેશાવકાશિક વ્રત શા માટે અને કેવી રીતે ? બીજું શિક્ષાવ્રત છે દેશાવકાશિક. દેશ એટલે અલ્પ અને અવકાશ એટલે નિવૃત્તિ. દિવસમાં અલ્પ સમયની નિવૃત્તિ લેવાનું આ વ્રત છે. આખો દિવસ નિવૃત્ત રહેવાનું નથી. સવારે અને સાંજે પ્રતિક્રમણ અને આઠ સામાયિક કરવાનો સમય જોઈએ. આટલી જ નિવૃત્તિ જોઈએ. આ અવકાશ પ્રાપ્ત કરવાનું પ્રયોજન છે અણુવ્રત ; અણુવ્રત અને શિક્ષાવ્રત જે લીધાં હોય તે વ્રતોનું પાયલોચન કરવું અને લીધેલાં વ્રતોને વિશેષ રૂપથી ગ્રહણ કરવા માટે વિચારવું. વ્રતપાલનની પોતાની શક્તિ અને મર્યાદિા વિચારીને પ્રતિવર્ષ વ્રતોમાં ફેરફાર-પરિવર્તન કરી શકાય છે, પણ જો વ્રતો એક વર્ષની મર્યાદાથી ગ્રહણ કરેલાં હોય તો. જો યાવજીવન માટે વ્રત લીધાં હોય તો વિશેષ રૂપથી પરિવર્તન કરવામાં આવે છે. પરંતુ ઓછાં કરવામાં આવતાં નથી. અને વધારે અપવાદો પણ નથી લઈ શકાતા. એટલે કે વ્રતોનું સંક્ષેપીકરણ કરવામાં આવે છે. કેટલાક પ્રાચીન આચાર્યોનો મત એવો છે કે આ દેશાવકાસિક દ્રત માત્ર દિશા પરિમાણવ્રત (છઠું) નો સંક્ષેપ કરવા માટે છે! તેમનો તર્ક એ છે કે આ દેશાવકાસિક વ્રતના અતિચાર, દિશાપરિમાણ વ્રતના અતિચાર જેવા જ છે. ઠીક છે, દિશા પરિમાણ વ્રતનું પાયલોચન કરીને એનો જે સંક્ષેપ કરવો છે તો કરી લેવો અને પછી બીજ વ્રતોનું પયલિોચન અને સંક્ષેપ કરવો. સમય આઠ સામાયિકનો છે. ખૂબ સારી રીતે વ્રતોનું પાયલોચન થઈ શકે છે. પોતાના સામર્થ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org