________________
ભાગ ૧
આચાર્યશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે :
" अभ्यासोऽपि प्रायः प्रभूत- जन्मानुगो भवति शुद्धः ।"
"પ્રાય" શબ્દનો પ્રયોગ એટલા માટે ક૨વામાં આવ્યો છે કે કોઈ ઉદ્ધૃદ્ઘ અને અલ્પ કર્મવાળો મનુષ્ય એક જન્મમાં જ ધર્મીક્રયા દોષરહિત બનાવી શકે છે. એક બે વર્ષમાં જ નિરુચાર ધર્મક્રિયા કરનારો બની શકે છે ! પરંતુ આવા મનુષ્ય લાખોમાં એક બે જ હોય છે !
૧૯૭
સ્મૃતિ ટકાવી રાખો :
કોઈ કોઈ વાર ઉંમર વધતાં મનુષ્યની સ્મૃતિ ઓછી થઈ જાય છે. એને એક કલાક પહેલાંની વાત પણ યાદ નથી રહેતી. ” મેં આજે સામાયિક કર્યું કે નહીં ?" મારે ચારે સામાયિક કરવાનું છે એ ભૂલી જાય છે. એનાથી સામાયિક વ્રતનો ભંગ નથી થતો પણ દોષ લાગે છે. સ્મૃતિભંગ થવામાં જીવનો એટલો દોષ નથી, જ્યારે અનાદરે કરવામાં જીવનો જ દોષ હોય છે.
સામાયિકનો અનાદર કરવાનો નથી :
અનાદર થાય છે પ્રબળ પ્રમાદથી, પરંતુ આ સૌથી મોટો દોષ છે જેમ તેમ સામાયિક કરવું. ન વિધિનો આદર, ન હ્રદયમાં સામાયિક પ્રત્યે બહુમાન. અનાદરથી તે સામાયિક કદી કરતો જ નણી, કરે છે તો સમયનો ખ્યાલ નથી રાખતો. સામાયિક લીધું અને તરત જ પૂર્ણ કર્યું !
સભામાંથી ઃ એવું કરવાથી તો સામાયિકનો ભંગ જ થઈ જાય છે ને ? એને અતિચાર કેમ કહેવાય ?
મહારાજશ્રી : એટલા માટે કે તે વ્રત પ્રત્યે સાપેક્ષ ભાવવાળો છે. જેવું તેવું પણ કરે તો છે ને ?” મારે વ્રત છે માટે મારે સામાયિક કરવું જોઈએ.” એવો વિચાર કરવાથી વ્રતનો ભંગ થતો નથી. છતાં પણ અનાદર કરવો મોટો દોષ છે.
ધર્મક્રયા પ્રત્યે અનાદર કરવાથી પાપકર્મનો એવો બંધ પડે છે કે આવનારા જન્મોમાં ધર્મક્રયા કરવાનું બને જ નહીં. એટલે કે પુણ્યબંધ કરવાની અને કર્મોની નિર્જરા કરવાની ધર્મક્રિયાઓ જનમોજનમ મળતી નથી.
સામાયિકથી કનિર્જરા ઃ
સામાયિકની ક્રિયા જો ભાવપૂર્વક કરવામાં આવે તો એનાથી અનંત કર્મોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org