________________
૧૯)
શ્રાવક જીવન પરિણતિ વધી જાય છે, અને આ કષાયો શાન્તિના શત્રુ છે. સૌથી પહેલાં તમારા આત્માને પૂછોઃ શાન્તિ જોઈએ છે? વિષય-કષાયોને સીમિત કરવા પડશે :
મનની શાન્તિની ઉપેક્ષા કરનાર અને વિષય સુખોની તીવ્ર સ્પૃહા કરનારા લોકો મનથી "અપસેટ" હોય છે, કેટલાક તો વળી પાગલ થઈ જાય છે. લાખો રૂપિયા અને અનેક પ્રકારની સુવિધાઓ હોવા છતાં પણ તે લોકો વ્યથિત અને પીડિત હોય છે. શું તમારે એવી સ્થિતિનું નિમણિ કરવું છે? નહીં જ ને? તો વૈષયિક સુખોની તીવ્ર સ્પૃહનો ત્યાગ કરો. કષાયોથી બચતા રહો. કષાયોથી બચવાના ઉપાય આ જ છેઃ વૈષયિક સ્પૃહાનો ત્યાગ. એટલા માટે "ભોગોપભોગ વિરમણ વ્રત અને "અનર્થદંડ વિરમણ વ્રત” બતાવવામાં આવ્યાં છે. આ બે તૃત માણસની વૈષયિક ઇચ્છાઓને સીમિત કરે છે. વૈષયિક ઈચ્છાઓ સીમિત થતાં કષાયોની પ્રબળતા રહેતી નથી. એનાથી “સામાયિકમાં સારું છે. મન-વચન-કાયાને સામાયિકમાં સ્થિરતા અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. સામાયિક શું છે?
સામાયિક બે ઘડી દરરોજ કરવાનું વ્રત છે. શુદ્ધ અને શાન્ત સ્થળે ૪૮ મિનિટ બેસવાનું છે, શુદ્ધ વસ્ત્રો પહેરવાનાં છે. ઊનનું વસ્ત્ર જમીન ઉપર પાથરીને બેસવાનું છે, મુહપત્તિ રાખવાની છે. અને ચરવલો ય રાખવાનો છે પાસે. બોલવું પડે તો મુહપત્તિનો ઉપયોગ કરવાનો હોય છે. ચાલવું પડે તો ચરવલાનો ઉપયોગ કરવાનો હોય છે.
બને તેટલું શરીર સ્થિર રાખવાનું છે, એટલે કે શરીરને ચંચળ અસ્થિર થવા દેવાનું નથી. એક આસને બેસવાનું છે. બગાસું પણ ન આવે એવી રીતે, ભીંતનો ટેકો લીધા વગર બેસવાનું છે.
મૌન ધારણ કરીને બેસવાનું છે. બોલવાનું નથી. એટલે કે નિરર્થક, નિષ્પયોજન અને પાપયુક્ત વચન બોલવાનાં નથી. કદાચ બોલવું જ પડે તો પ્રિય, સત્ય અને સ્વ-પરહિતકારી વચનો જ બોલવાં જોઈએ. આ રીતે વચનયોગની નિર્મળતા સિદ્ધ કરવાની છે. કાયયોગ અને વચનયોગ ચંચળતારહિત અને પાપરહિત બનશે ત્યારે મનોયોગ નિર્મળ અને પવિત્ર બનશે.
મનમાં એક પણ પાપાચાર ન આવી જાય એટલા માટે મનને મંત્ર જાપમાં અથવા સ્વાધ્યાયમાં જોડી દેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org