________________
૧૮૮
શ્રાવક જીવન
ત્રીજી સાવધાની છે દેશકથા, રાજકથા, ભોજનકથા અને સ્ત્રીકથા ન કરવીઆ વાતો મનને વિકૃત કરે છે. ચોથી સાવધાની છે, યુદ્ધ કરનારાઓની પ્રશંસા ન કરવી. હિંસાનાં કાર્યોમાં અભિમાન ન કરવું.
જૂઠ્ઠું બોલવામાં અભિમાન ન કરવું. શત્રુ ઉપર ખોટો આરોપ ન મૂકવો. પોતાની ખોટી પ્રશંસા ન કરવી. આ છે પાંચમી સાવધાની.
વેપારમાં વિશ્વાસઘાત ન કરવો. જૂઠી વાત ન લખવી, ખોટી વાત ન કરવી કે ખોટા સોગંદ ન ખાવા. આ છે છઠ્ઠી સાવધાની.
કોર્ટ-કચેરીમાં લડવું નહીં. પરિગ્રહ-મગ્ન ન રહેવું. આ સાતમી સાવધાની.
♦ પુનર્વિવાહની પ્રશંસા ન કરવી એ આઠમી સાવધાની.
નવમી સાવધાની છે, રાવણવધ ન કરવો, ન જોવો.
દશમી છે, પાણી ગળીને ઉપયોગમાં લેવું.
અગિયારમી સાવધાની છે, નેત્ર વિકારાદિ કામચેષ્ટા ન કરવી.
બારમી સાવધાની છે, વધારે ન બોલવાની !
તેરમી છે, અધિક સ્નાન ન કરવાની, વારંવાર ન ખાવાની.
ચૌદમી સાવધાની છે, કટાક્ષ વચનો નહીં બોલવાની. વિષય-કષાયોને પોષક વાણી ન બોલવાની.
પંદરમી સાવધાની છે, અનાવશ્યક વનસ્પતિ ન તોડવાની, વનસ્પતિ ઉપર ન ચાલવાની.
આજ બસ, આટલું જ.
Jain Education International
✰✰✰
For Private & Personal Use Only
www.jainelibrary.org