________________
૧૮૬
શ્રાવક જીવન
પરંતુ તમે લોકો ગાય-ભેંશનું પાલન કરવા ઈચ્છો છો ખરા ? જો સમગ્ર હિંદુ સમાજ અને જૈન સમાજ ગાય-ભેંશનું પાલન કરે તો એક પણ ગાય યા ભેંશ કતલખાનામાં જઈ શકે નહીં ! જીવદયાનું અપૂર્વ કાર્ય થઈ શકે. પરંતુ તમારે લોકોને એ કાર્ય નથી કરવું. તમારે તો કૂતરાં પાળવાં છે ! યાદ રાખો, કૂતરાથી પ્યાર થયો તો આવનારો જન્મ કૂતરાનો મળશે ! કૂતરો થવું પસંદ છે ને ? વિચારી લેજો. નદી-સરોવ૨, સમુદ્ર, કુંડમાં સ્નાન ન કરવું ઃ
નિષ્પ્રયોજન પશુપાલન કરવાનું નથી, તે રીતે વ્રતધારી શ્રાવકે નદીમાં, સરોવરમાં, સમુદ્રમાં, કુંડમાં સ્નાન કરવું ન જોઈએ. કારણ કે એવા સ્થાનોમાં જીવ વધારે હોય છે, તેમની હિંસા થાય છે.
બાથમાં સ્નાન કરી શકાય ?
મહારાજશ્રી : ના, ન કરી શકો. ત્યાં પણ પાણી ગળેલું નથી હોતું. ભલે તેમાં માછલીઓ ન હોય. બીજા જીવો પણ ન હોય; પરંતુ "અપ્લાય" ના એટલે કે પાણીના જીવ તો હોય જ છે. વ્રતધારી શ્રાવક નિષ્પ્રયોજન એકેન્દ્રિય જીવોની પણ હિંસા કરવી પસંદ નહીં કરે. એટલા માટે તે પોતાના ઘરમાં પણ, થોડા પાણીથી અને તે પણ ગળેલા પાણીથી સ્નાન કરશે. આજકાલ તમે કોઈ કૂવાને કાંઠે બેસીને યા તળાવને કિનારે બેસીને સ્નાન નથી કરતા. જો ત્યાં સ્નાન કરવાનું હોય તો પણ પાણીને ગાળીને, પાત્રમાં લઈને સ્નાન કરવું જોઈએ.
સભામાંથી : સ્વીમીંગ પુલ
-
વ્રતધારી શ્રાવક પાણીનો ઘણોજ અલ્પ ઉપયોગ, જેટલો અનિવાર્ય હોય તેટલો જ ઉપયોગ કરશે.
જો લોકો, આજના યુગમાં તમે લોકો ભલે વ્રતધારી ન હો, છતાં જો પાણીનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવા લાગશો તો દેશની પાણીની સમસ્યા હલ થઈ જશે ને ? પાણીનો કેટલો દુરુપયોગ કરો છો ? દુઃખી થશો. કુદરત રુઠી છે.........કઈક સમજદાર બનશો તો બચશો..... નહીંતર વિનાશ નજીક છે.
જોર જોરથી હસવું નહીં :
વ્રતધારી શ્રાવક બનવું હોય તો આ તમામ મર્યાદાઓ પાળવી જ પડશે. એક મહત્ત્વપૂર્ણ મર્યાદા હવે બતાવું છું. શ્રાવકે જોર જોરથી હસવું ન જોઈએ. અટ્ટહાસ્ય ન કરવું જોઈએ. હા, સ્મિત થઈ શકે. સામાન્ય હાસ્ય નિષિદ્ધ નથી.
સભામાંથી : કોઈવાર ડૉકટર કહે છે કે જોર જોરથી હસવું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org