________________
ભાગ - ૧
૧૮૫ ઊંડી ખીણમાં નાખી દેશે. મલ્લકુસ્તી, ફાંસી વગેરે ન જુઓ :
જોવામાં કેટલાં પાપકર્મ બંધાય છે? એટલા માટે જે જોવું અનિવાર્ય નથી તે ન જોવું જોઈએ. જે જોયા વગર પણ આપણી જીવનયાત્રા સુખરૂપ ચાલ્યા કરતી હોય તેને શા માટે જેવું?
લોકો મલ્લકુસ્તી જોવા જાય છે. કદાચ તમે લોકો નહીં જતા હો, સ્ત્રીઓ પણ નહીં જ ને? ટી.વી. ભલે જુઓ, પરંતુ મલ્લકુસ્તી નહીં જુઓ તો જીવનયાત્રા અટકી નહીં પડે ! અથવા તમને કોઈ શારીરિક યા આર્થિક નુકસાન પણ થવાનું નથી. તો પછી શા માટે જોવી ? એવી કુસ્તી જોવાથી રાગદ્વેષ વધે છે ! તમારો પ્રિય પહેલવાન જીતે તો ખુશ અને હારે તો નાખુશ થઈ જશોને? કુસ્તી ન જોવી જોઈએ.
કેટલાક લોકોને ફાંસી જોવામાં મજા પડે છે. હવે આ યુગમાં તો ફાંસી જાહેરમાં આપવામાં આવતી નથી. જ્યાં ફાંસી આપવામાં આવે છે, ત્યાં લોકો જઈ પણ નથી શકતા. છતાં પણ કેટલાક લોકો સરકારી પરવાનો લઈને જોવા જાય છે. ત્યાં માનો કે કોઈ ખૂનીને ફાંસી આપવામાં આવે છે. જોનારના મનમાં ”સારું થયું, આવા દુષ્ટો. તો ફાંસી આપવી જ જોઈએ.” એવો વિચાર આવી જાય તો ઘોર પાપકર્મ બંધાઈ જાય છે. એના ફળસ્વરૂપે એને કોઈ જન્મે ફાંસીની સજા મળે છે.
મલ્લકુસ્તી, ફાંસી, તાજિયા વગેરે જોવાં એ અનર્થદંડ છે, નિરર્થક વાતો છે. જીવનમાં એવો હલકો આનંદ ન હોવો જોઈએ. વ્રતધારી બનવા માટે એવી વાતોની ઈચ્છા જ ન હોવી જોઈએ. હિંસક પશુઓ ન પાળોઃ
વ્રતધારીએ હિંસ પશુઓ ન પાળવાં જોઈએ. બિલાડી, કૂતરો, વાઘ વગેરે હિંસક પશુઓ છે. જો કે તમે લોકો વાઘ, ચિત્તાને તો પાળતા નથી, પરંતુ બિલ્લી-કૂતરાને પાળીને રાખવાની ફેશન થઈ ગઈ છે ને? બિલાડી અને કૂતરો તેને શિકાર મળતાં હિંસા કરશે જ. એ હિંસાનું પાપ તમને જ લાગશે.
એ રીતે પરસ્પર પશુઓને લડાવવાં પણ ન જોઈએ. વ્રતમય જીવન સાથે એવી વાતો સારી લાગતી નથી. એવી વાતો વ્રતમય જીવનમાં હોવી જ ન જોઈએ.
સભામાંથી ગાય, ભેંશ, ઘોડો વગેરેનું પાલન વ્રતધારી કરી શકે છે ને ! મહારાજશ્રી કરી શકે છે. ગાય, ભેંસ, ઘોડો વગેરે હિંસક પ્રાણીઓ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org