________________
૧૮૦
૬. હિંસક પશુ (બિલ્લી વગેરે) નું પાલન નહીં કરું.
૭. નદી, સરોવર, સમુદ્ર, કુંડ, કૂવા વગેરેમાં સ્નાન કરીશ નહીં.
૮. જોર જોરથી હસીશ નહીં.
૯. વિકાર ઉત્પન્ન કરનાર શબ્દો નહીં બોલું, હાસ્ય ઉત્પન્ન કરનાર વાતો નહીં
કર્યું.
શ્રાવક જીવન
આ બધાં જ અનાવશ્યક પાપો છે. બીજાં પણ છે પરંતુ એ પાછળથી બતાવીશ. અત્યારે તો આ પ્રતિજ્ઞાને સવિસ્તર બતાવીશ.
આરંભ-સમારંભનો ઉપદેશ ન આપવો
જે ક્રિયામાં નાના મોટા જીવોની વધારે હિંસા થાય છે, એવી ક્રિયાઓ કરવાનો બીજાંને ઉપદેશ ન આપવો જોઈએ. જો તમારાં હૃદયમાં જીવ દયાનો તીવ્ર કોટિનો શુભ ભાવ હશે તો તમે તમારા જીવનમાં એવી ક્રિયાઓ નહીં કરો, તો પછી બીજાને ઉપદેશ આપવાની વાત જ ક્યાં રહી ? છતાં પણ માની લો કે તમારી ફેકટરી ચાલે છે. મિલ ચાલે છે. યંત્રોમાં જીવોની હિંસા થાય છે, છતાં તમે બીજાંને એવી પ્રેરણા નહીં આપો કે "તમે આવી ફેકટરી શરૂ કરો, ઘણું કમાશો......તમે આવી મિલ નાખો, કરોડપતિ થઈ જશો....જુઓ અમે પાંચ વર્ષમાં બે કરોડ કમાઈ લીધા !”
જો તમે તમારા આરંભ-સમારંભમાં ખુશ નથી, તેમાં તમારી મજબૂરી, ધનલોલુપતા માનતા હશો તો તમે બીજાંને એવા આરંભ-સમારંભના ધંધા કરવાની પ્રેરણા નહીં આપો.
સભામાંથી : કોઈ અમારો અભિપ્રાય લેવા આવે તો ?
મહારાજશ્રી : જે ધંધામાં જીવહિંસા વધારે થતી હોય એવા ધંધાનો અભિપ્રાય ન આપવો જોઈએ. એક મહત્ત્વપૂર્ણ તત્ત્વજ્ઞાન એને આપવું જોઈએ કે "ભાઈ, પૈસા ધંધો કરવાથી જ નથી મળતા, પૈસા તો મળે છે પુણ્યકર્મના ઉદયથી, અંતરાય કર્મ તૂટવાથી. ધંધો તો માત્ર નિમિત્ત છે. એટલા માટે એવો ધંધો કરો કે જેમાં જીવહિંસા વધારે થતી ન હોય."
સામેવાળી વ્યક્તિ તમને પૂછશે કે, “તમે શા માટે ફેકટરી ચલાવો છો ? ફેકટરીમાં તો વધારે જીવહિંસા થાય છે.” તો તમારે કહેવું : "મારાં પાપકર્મનો ઉદય છે, હું માનું છું કે મારો ધંધો પાપનો છે. અને હું આ ધંધામાંથી સત્વર મુક્ત થવા ઈચ્છા રાખું છું.” કહેશો ને ? આરંભ-સમારંભના ધંધા તમને શોભા નથી દેતા. અસંખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org