________________
પ્રવચન : ૧૮
પરમ કૃપાનિધિ મહાન મૃતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત “ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ જીવનનો વિશેષ ધર્મ બતાવે છે. વિશેષ ધર્મ એટલે સમ્યકત્વમૂલક બાર વ્રત. સામાન્ય ધર્મોના પાલનની સાથે જે મનુષ્ય-મહાનુભાવ વિશેષ ધર્મનું પાલન કરે છે, તે મનુષ્ય આ જીવનને અને પારલૌકિક જીવનને સફળ બનાવી દે છે. એનું જીવન શ્રેષ્ઠ જીવન હોય છે. શ્રેષ્ઠ જીવન જીવવા માટે બાર વ્રતોનું જ્ઞાન હોવું આવશ્યક છે, એટલા માટે તમને બાર વ્રત સમજાવું છું. અર્થદંડ અને અનર્થદંડ :
"અનર્થદંડ” સમજવા માટે અર્થદંડ સમજવો આવશ્યક છે; દંડનો અર્થ છે સજા. સા એટલે પાપકર્મનું બંધન. પાપ બે પ્રકારનાં હોય છેઃ આવશ્યક અને અનાવશ્યક. આવશ્યક પાપ અર્થ દંડ છે. અનાવશ્યક પાપ અનર્થદંડ છે ! મનુષ્ય જેટલાં આવશ્યક પાપ કરે છે, એનાથી ઘણાં વધારે તો અનાવશ્યક પાપ કરે છે. એ પાપ મનુષ્ય મન, વાણી અને શરીર (પાંચ ઇન્દ્રિયો)થી કરે છે. તમારે બંને પ્રકારનાં આવશ્યક-અનાવશ્યક પાપો જાણી લેવા જોઈએ, અને જાણીને અનાવશ્યક પાપોનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
સભામાંથીઃ અમને તો પાપ પુણ્યનો વિચાર જ નથી આવતો !
મહારાજશ્રી ઃ અત્યારે સુખમાં નહીં આવતા હોય, દુઃખમાં જરૂર આવશે !! પાપોનું જ્ઞાન પામી જશો તો એ સમયે ફસાઈ નહીં પડો. અનાવશ્યક પાપોને સમજે અને તેમનો ત્યાગ કરો, કારણ કે અનાવશયક પાપ કરવાથી કર્મબંધ પ્રગાઢ થાય છે. આથી અનર્થદડવિરમણની પ્રતિજ્ઞા આ રીતે લેવી જોઈએ. અનર્થદંડ-વિરમણ વ્રત : ૧. હું બીજાને આરંભ-સમારંભનો ઉપદેશ નહીં આપું. ૨. કાતર, તલવાર વગેરે આરંભ-સમારંભનાં સાધનો બીજાંને નહીં આપું. ૩. દૂધ, દહીં, ઘી, તેલ વગેરેનાં પાત્રો ખુલ્લાં નહીં રાખું. ૪. નાટક, સિનેમા-સરકસ, તમાશા, વેશ્યાઓના નાચ મુજરા વગેરે જોઈશ નહીં. પ. મલ્લ કુસ્તી, ફાંસી, તાજિયા વગેરે જોઈશ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org