SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ઉપભોગ-પરિમાણ : જેવી રીતે ભોગ-પરિમાણ કરવાનું છે, તેવી રીતે ઉપભોગ પરિમાણ પણ ક૨વાનું છે. સૌથી પ્રથમ ઘર-મકાન-બંગલાનું પિરમાણ કરવું જોઈએ. કેટલાક સમયથી શ્રીમંત લોકો પોતાના પૈસાનું ઈન્વેસ્ટમેંટ મકાનોમાં કરે છે. એ લોકોને પૈસાની જ ચિંતા રહે છે. આત્માની ચિંતા તો થતી જ નથી ! જો તમારે શ્રીમંત લોકોએ વ્રતધારી બનવું હોય તો મકાનનું પરિમાણ કરવું પડશે. સભામાંથી : પૈસા વધારે થઈ જાય તો શું કરવું ? મહારાજશ્રી : સાધર્મિકોનો ઉદ્ધાર કરો ! જિન મંદિરોનું નિર્માણ કરો. જૈન સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરો ! ગુપ્ત દાન કરો, જેથી સરકાર પણ પરેશાન નહીં કરે. શ્રાવક જીવન જેમ મકાનનું પરિમાણ ક૨વાનું છે, તેવી જ રીતે વસ્ત્રોનું પણ કરવું આવશ્યક છે. ઓછામાં ઓછાં વસ્ત્રો રાખવાં જોઈએ. કેટલાંક વર્ષોથી વસ્ત્ર-પરિધાનનો શોખ વધી ગયો છે. સ્ત્રીઓમાં અને યુવક-યુવતીઓમાં ખૂબ જ વધારે પ્રમાણમાં શોખ વધ્યો છે. વસ્ત્રોની ફેશન વધી ગઈ છે. શ્રીમંત હોય કે મધ્યમ વર્ગના માણસો હોય....અરે, મજૂર વર્ગમાં પણ વસ્ત્રોની ફેશન વધી છે. વ્રતધારીએ સાદગીથી જીવવું જોઈએ. જો બે જોડ કપડાંથી ચાલતું હોય તો ત્રીજી જોડ રાખવાની નથી. ઉપસંહાર : સમગ્ર જીવન વ્યવહારને નિયંત્રિત અને સંયમિત કરવાનું આ વ્રત છે ! જીવનમાં ત્રણ વાતો મહત્ત્વપૂર્ણ હોય છે. રોટી, કપડાં અને મકાન ! આ વ્રતથી ત્રણે ય વસ્તુઓ ઉપર નિયંત્રણ આવી જાય છે, અને જીવન સુવ્યવસ્થિત બની જાય છે. બનાવવું છે ને જીવનને સુવ્યવસ્થિત ? સભામાંથી : અમારા લોકોનું જીવન અનિયંત્રિત અને અસંયમિત બની ગયું છે....સંયમમય જીવનની ઈચ્છા જ રહી નથી ! મહારાજશ્રી : તો પછી રોગ, અશાંતિ, સંતાપ અને ક્લેશોના શિકાર બની જશો; બાહ્ય સુખ-સુવિધાઓ હોવા છતાં પણ તમે સુખ શાંતિનો અનુભવ નહીં કરી શકો. સુખ-સુવિધાઓ......સુખનાં સાધન વધવા છતાં પણ જો તમારું જીવન સંયમી નહીં હોય તો તમે આંતરિક પ્રસન્નતા અનુભવી નહીં શકો. અસંયમિત જીવન તમને દુઃખ અને ક્લેશોની ઊંડી ખીણમાં ધકેલતું રહેશે, માનવ જીવન વ્યર્થ ચાલ્યું જશે. ભવિષ્યકાળ અંધકારમય બની જશે. એટલા માટે જ્ઞાની પુરુષ ત્યાગ અને સંયમનો ઉપદેશ આપે છે. તમે લોકો સંયમ માર્ગે ચાલીને પરમ આત્મહિત પ્રાપ્ત કરો એ જ મંગલ કામના. આજ આટલું બસ. Jain Education International ✰✰✰ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy