________________
ભાગ
અચિત્ત ભોજનનું કારણ જીવદયા ઃ
શ્રાવક જાણે છે કે કઈ કઈ વસ્તુઓમાં જીવત્વ હોય છે, અને જીવત્વ પ્રત્યે શ્રાવકના હૃદયમાં મૈત્રી, પ્રેમ અને સ્નેહ હોય છે. તે તેનું ભક્ષણ કેવી રીતે કરી શકે ?
-
૧
સભામાંથી : સચિત્તને અચિત્ત બનાવવામાં જીવહિંસા તો થાય છે ને ?
મહારાજશ્રી : થાય છે, પરંતુ જે અનિવાર્ય હોય છે એટલું જ અચિત્ત ક૨વામાં આવે છે. નિરર્થક અથવા માત્ર આનંદ પ્રમોદ માટે સચિત્તને અચિત્ત ન બનાવવું જોઈએ. વિશેષ તો શ્રાવક વનસ્પતિનો વધારે પ્રમાણમાં ત્યાગ કરે છે. કારણ કે વનસ્પતિનું જીવત્વ વિશેષ રૂપથી સંવેદનશીલ હોય છે. તેમાં સુખદુઃખનું સંવેદન વધુ હોય છે. આ દૃષ્ટિએ જૈન-સમાજમાં વધારે પ્રમાણમાં લોકો પતિથિને દિવસે શાકભાજીનો ત્યાગ કરે છે. જે લોકો એની મૂળભૂત ભાવનાને સમજતા નથી, તેઓ એ ત્યાગ ભાવનાની મશ્કરી કરે છે.
આજની દુનિયામાં મનુષ્યનો જીવત્વ પ્રતિ પ્રેમ નહીંવત્ થઈ ગયો છે. સભામાંથી : પ્રેમ છે જ નહીં !
૧૭૫
મહારાજશ્રી : એટલા માટે તો હિંસા જન્ય પદાર્થ ભોજનમાં આવવા લાગ્યા છે. આજે કઈ તિથિ છે – એ લોકો જાણતા નથી. સર્વ તિથિ સમાન ! નથી કરવું તપ, નથી કરવો ત્યાગ ! પછી તિથિનો ખ્યાલ શા માટે રાખવો ? સમગ્ર જીવન વ્યવહા૨ Date થી ચાલે છે !
અચિત્ત ભોજનમાં આ જ મુખ્ય હેતુ છે – જીવત્વનો પ્રેમ. શ્રાવકના હૃદયમાં જીવપ્રેમ હોય જ છે. જેના હૃદયમાં જીવપ્રેમ નથી, તે શ્રાવક નથી.
કદાચ તમે કહેશો કે પાણીમાં અસંખ્ય જીવ છે, તેને ઉકાળવાથી-ગરમ ક૨વાથીપાણી અચિત્ત થાય છે. પરંતુ ઉકાળવાથી અસંખ્ય જીવોની હિંસા તો થાય જ છે ને ? શ્રાવક એ હિંસા કરે છે તો એનો જીવપ્રેમ ક્યાં રહ્યો ?
સાચી વાત છે ! પરંતુ પાણી જીવનમાં અનિવાર્ય તત્ત્વ છે. પાણી વગર જીવન સંભવ નથી, તો પછી પાણી સચિત્ત પીવું ઉચિત કે અચિત્ત પીવું ઉચિત ? શ્રાવક જાણે છે કે પાણીમાં અસંખ્ય જીવ છે; તો પછી જીવતા જીવોને પેટમાં કેવી રીતે ઉતારી શકે ? ત્યાં એ પાણીને નિર્જીવ કરવું અનિવાર્ય બની જાય છે. તે હૃદયમાં દુઃખ અનુભવે છે, તેને વેદના થાય છે. એ રીતે ભોજનમાં પણ સમજવું. શ્રાવકના ભોજનમાં ઓછામાં ઓછાં દ્રવ્યો હશે. તે જીવવા માટે ભોજન કરે છે, ભોજન માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org