SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ અચિત્ત ભોજનનું કારણ જીવદયા ઃ શ્રાવક જાણે છે કે કઈ કઈ વસ્તુઓમાં જીવત્વ હોય છે, અને જીવત્વ પ્રત્યે શ્રાવકના હૃદયમાં મૈત્રી, પ્રેમ અને સ્નેહ હોય છે. તે તેનું ભક્ષણ કેવી રીતે કરી શકે ? - ૧ સભામાંથી : સચિત્તને અચિત્ત બનાવવામાં જીવહિંસા તો થાય છે ને ? મહારાજશ્રી : થાય છે, પરંતુ જે અનિવાર્ય હોય છે એટલું જ અચિત્ત ક૨વામાં આવે છે. નિરર્થક અથવા માત્ર આનંદ પ્રમોદ માટે સચિત્તને અચિત્ત ન બનાવવું જોઈએ. વિશેષ તો શ્રાવક વનસ્પતિનો વધારે પ્રમાણમાં ત્યાગ કરે છે. કારણ કે વનસ્પતિનું જીવત્વ વિશેષ રૂપથી સંવેદનશીલ હોય છે. તેમાં સુખદુઃખનું સંવેદન વધુ હોય છે. આ દૃષ્ટિએ જૈન-સમાજમાં વધારે પ્રમાણમાં લોકો પતિથિને દિવસે શાકભાજીનો ત્યાગ કરે છે. જે લોકો એની મૂળભૂત ભાવનાને સમજતા નથી, તેઓ એ ત્યાગ ભાવનાની મશ્કરી કરે છે. આજની દુનિયામાં મનુષ્યનો જીવત્વ પ્રતિ પ્રેમ નહીંવત્ થઈ ગયો છે. સભામાંથી : પ્રેમ છે જ નહીં ! ૧૭૫ મહારાજશ્રી : એટલા માટે તો હિંસા જન્ય પદાર્થ ભોજનમાં આવવા લાગ્યા છે. આજે કઈ તિથિ છે – એ લોકો જાણતા નથી. સર્વ તિથિ સમાન ! નથી કરવું તપ, નથી કરવો ત્યાગ ! પછી તિથિનો ખ્યાલ શા માટે રાખવો ? સમગ્ર જીવન વ્યવહા૨ Date થી ચાલે છે ! અચિત્ત ભોજનમાં આ જ મુખ્ય હેતુ છે – જીવત્વનો પ્રેમ. શ્રાવકના હૃદયમાં જીવપ્રેમ હોય જ છે. જેના હૃદયમાં જીવપ્રેમ નથી, તે શ્રાવક નથી. કદાચ તમે કહેશો કે પાણીમાં અસંખ્ય જીવ છે, તેને ઉકાળવાથી-ગરમ ક૨વાથીપાણી અચિત્ત થાય છે. પરંતુ ઉકાળવાથી અસંખ્ય જીવોની હિંસા તો થાય જ છે ને ? શ્રાવક એ હિંસા કરે છે તો એનો જીવપ્રેમ ક્યાં રહ્યો ? સાચી વાત છે ! પરંતુ પાણી જીવનમાં અનિવાર્ય તત્ત્વ છે. પાણી વગર જીવન સંભવ નથી, તો પછી પાણી સચિત્ત પીવું ઉચિત કે અચિત્ત પીવું ઉચિત ? શ્રાવક જાણે છે કે પાણીમાં અસંખ્ય જીવ છે; તો પછી જીવતા જીવોને પેટમાં કેવી રીતે ઉતારી શકે ? ત્યાં એ પાણીને નિર્જીવ કરવું અનિવાર્ય બની જાય છે. તે હૃદયમાં દુઃખ અનુભવે છે, તેને વેદના થાય છે. એ રીતે ભોજનમાં પણ સમજવું. શ્રાવકના ભોજનમાં ઓછામાં ઓછાં દ્રવ્યો હશે. તે જીવવા માટે ભોજન કરે છે, ભોજન માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy