________________
ભાગ ૧
૧૭૩
(૧૦) વિષવાણિજ્ય : સર્વ પ્રકારનાં ઝેર એવં માદક પદાર્થોનો વેપાર ત્યજી દઉં છું.
(૧૧) યંત્ર-પીલણ કર્મ : મીલ, યંત્ર, ઘાણી વગેરેનો વેપાર નહીં કરું. ઘંટી વગેરે યંત્રો ઘરમાં રાખવાની જયણા રાખું છું.
(૧૨) નિર્ણાંછન-કર્મ : મનુષ્ય, પશુ પક્ષીના અંગ-ઉપાંગોના છેદન-ભેદનનો વેપાર નહીં કરું.
(૧૩) દવદાનકર્મ : વનમાં દવ લગાડવાનો વેપાર નહીં કરું.
(૧૪) શોષણકર્મ : સરોવર, તળાવ વગેરે જળાશયોમાંથી પાણી કાઢવાનો ધંધો નહીં કરું.
(૧૫) અસતીપોષણ : શોખથી યા વેપા૨ હેતુથી જુગારી, ચોર, વેશ્યા, કૂતરા, બિલાડી, મેના, પોપટ વગેરેને પાળીશ નહીં.
સાતમી પ્રતિજ્ઞા :
હું પ્રતિદિન ૧૪ નિયમ ધારણ કરીશ, અથવા જિંદગી માટે ૧૪ નિયમ ધારણ કરી લઉં છું.
ચૌદ નિયમ
૧. સચિત્ત
૨. દ્રવ્ય
૩. વિગઈ
૪. ઉપાનહ
૫. તંબોલ
૯. શયન
૬. વસ્ત્ર
૧૦. વિલેપન
૭. પુષ્પ
૧૧. બ્રહ્મચર્ય
૮. વાહન
૧૨. દિશા
પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય, અસિ, મસિ, કૃષિ.........
આ નિયમોને આજે નહીં તો કોઈક વાર સવિસ્તર સમજાવીશ. ખૂબ મહત્ત્વપૂર્ણ છે આ નિયમો ! આ નિયમોનું પ્રતિદિન પાલન કરનારો મનુષ્ય અસંખ્ય પાપોથી બચી જાય છે.
Jain Education International
૧૩. સ્નાન
૧૪. ભાતપાણી
For Private & Personal Use Only
www.jainelibrary.org