SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક જીવન મિથ્યાત્વની પ્રતિક્રિયા : જીવાત્મામાં રહેલું “મિથ્યાત્વ” એક અશુભ ભાવ છે. આ અશુભ ભાવ સાથે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ જોડાયેલા હોય છે. એ સાથે રહે છે અને સાથે જ જાય છે. આ અશુભ ભાવો જ્યાં સુધી જીવાત્મામાં રહે છે ત્યાં સુધી૧. જીવ શાન્તિનો અનુભવ કરી શકતો નથી. ૨. મોક્ષ પામવાની ઈચ્છા થતી નથી. ૩, સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થતો નથી. ૪. દુખી લોકો પ્રત્યે અનુકંપાનો ભાવ ઉત્પન્ન થતો નથી, અને ધર્મનું, ગુરુનું તેમજ પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ તે જાણી શકતો નથી તથા માની શકતો નથી, જે ધર્મ નથી તેને ધર્મ માને છે, જે ગુરુ નથી તેને તે ગુરુ માને છે. અને જે પરમાત્મ-સ્વરૂપ નથી તેને પરમાત્મ-સ્વરૂપ માને છે. એટલે કે દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે તે ભ્રમણામાં રહે છે. મિથ્યાત્વની સાથે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ રહેવાથી મિથ્યાત્વના ભાવમાં તીવ્રતા રહે છે. સભામાંથી “અનંતાનુબંધી” નો અર્થ શું થાય? મહારાજશ્રી અંતહીન અનુબંધવાળા ક્રોધાદિ–કેટલાય વર્ષો વીતી જાય છતાં પણ જેનો ક્રોધ–વેરભાવ શાન્ત નથી થતો, કેટલાંય વર્ષો વીત્યા છતાં પણ જેનું માન-અભિમાન દૂર થતું નથી, તે જ રીતે કેટલાંય વર્ષો વીત્યા છતાં પણ જેનાં માયાકપટ અને લોભ દૂર થતાં નથી.... તેને અનંતાનુબંધી કષાય કહેવાય છે. આવા કષાયો જે જીવાત્મામાં વિદ્યમાન હોય તે શાન્તિનો અનુભવ કેવી રીતે કરી શકે? ક્રોધ, માન, માયા અને લોભ અશાંતિ જ ઉત્પન્ન કરનાર તત્ત્વો છે. શું ક્રોધી વ્યક્તિ શાન્તિ પામી શકે છે? શું અભિમાની મનુષ્ય પ્રશમરસનું પાન કરી શકે? શું માયાવી મનુષ્ય કદી ભીતરની શાન્તિનો અનુભવ કરી શકે લોભી કદી શાન્તિભરી નિદ્રાનો અનુભવ કરી શકે અને આ તો અનંતાનુબંધીના ક્રોધાદિ ! કેટલા તીવ્ર અને કેટલા ભયંકર આમે ય મિથ્યાત્વનો દુભાવ મોક્ષને સમજવા દેતો નથી. મોક્ષનું જે વાસ્તવિક સ્વરૂપ છેઃ કૃત્નકર્મક્ષ મોક્ષ | સમસ્ત કમનો નાશ-સર્વ કમાંથી આત્માની મુક્તિ - એ સમજવા દેતો નથી. ઘણું કરીને એવો વિચાર પણ આવવા દેતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy