________________
ભાગ - ૧ દ્ભયથી કહ્યું : ગુરુદેવની ધર્મદિશના
"મહાનુભાવ! તું એક પલ્લીપતિ હતો, એટલે કે એક નાનો રાજા હતો. તારી પાસે પુષ્કળ સંપત્તિ હતી છતાં પણ લોભવશ થઈને તૈમુસાફરોને લૂંટવાનું પાપકૃત્ય કર્યું. એ સારું નથી કર્યું. જે મૃત્યુ એક નિર્ધન માણસ પણ નથી કરતો તેવું પાપ કર્મ તે ધનવાન હોવા છતાં કર્યું. પરિણામે તારો ઘોર પરાજય થયો.....તારું સર્વસ્વ નષ્ટ થયું. મહાનુભાવ! યાદ રાખ કે લૂંટારાએ સ્થાનભ્રષ્ટ થવું પડે છે, તેના કુળનો વિનાશ થાય છે. અને તેનો વૈભવ ચાલ્યો જાય છે.
બુદ્ધિના ધનુષ્ય એવું કાર્ય ન કરવું જોઈએ. જીવનભર ભલે નિર્ધનતાનું દુઃખ સહન કરવું પડે પરંતુ ચોરી યા લૂંટ સર્વથા અનુચિત છે, એટલા માટે તું આ પાપકર્મો છોડી દે અને પ્રશસ્ય કાર્ય કર. પાપોથી દુઃખ મળે છે અને ધર્મથી સુખ પ્રાપ્ત થાય છે. એટલા માટે પાપોનો ત્યાગ કરીને ધર્મનો આદર કરવો જોઈએ. આ મનુષ્ય જીવન વ્યર્થ ગુમાવવું ન જોઈએ.”
અતિ અલ્પ શબ્દોમાં, સરળ ભાષામાં અને મધુર ધ્વનિમાં આચાર્યદેવે તેને ધર્મોપદેશ આપ્યો. જંગલ હતું, સમય થોડો હતો. વિહાર કરીને ગામમાં પહોંચવાનું હતું અને સામે એક ડાકુ હતો ! આચાર્યદેવ ગીતાર્થ જ્ઞાની પુરુષ હતા. દેશજ્ઞ અને કાલજ્ઞ પુરુષ હતા. તેમણે ત્યાં મિતાક્ષરી ઉપદેશ જ આપ્યો.
સાથે જે મુસાફરો હતા તેમને આચાદવે ઈશારો કર્યો. એક મુસાફરે નરવીરને ભોજન આપ્યું. પાણી આપ્યું અને આગળ ચાલ્યો ગયો. આચાર્યદવે નરવીરને કહ્યું મહાનુભાવ! તું અહીંથી "એકશિલા” નગરીમાં જજે. ત્યાં "આઢર શ્રેષ્ઠી” રહે છે. તે તને સહારો આપશે.” નરવીરે ફરીથી નતમસ્તકે આચાર્યદિવને વંદન કર્યું.
આચાર્યદવ તો પોતાના પરિવાર સાથે ત્યાંથી ચાલી નીકળ્યા. નરવીર જતા આચાર્યદેવને ભક્તિભાવથી નિહાળી રહ્યો. તેના મનમાં આચાર્યદેવ પ્રતિ પ્રતિભાવ જાગ્યો અને તેમનાં વચનો ઉપર શ્રદ્ધા જાગી. આ કેવી રીતે બન્યું?
આચાર્યદેવના ઉપદેશથી નરવીરનું મિથ્યાત્વ દૂર થયું અને તેના તીવ્ર (અનંતાનુબંધી) કપાયો શાન્ત થયા. મિથ્યાત્વ અને કષાય-આ બે મહાન પાપો છે. જ્યાં સુધી આ બે પાપો દૂર થતાં નથી ત્યાં સુધી મનુષ્યની મોક્ષયાત્રાનો પ્રારંભ થતો નથી. અને મનુષ્યની જ્ઞાનવૃષ્ટિ ખૂલતી નથી. તેમજ મનુષ્ય અન્તર્મુખ પણ થઈ શકતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org