________________
શ્રાવક જીવન નાખ્યો. આ દૃશ્ય સૈનિકોએ જોયું, તેઓ ધનદતના આ રાક્ષસી કત્ય ઉપર થૂક્યા. ધનદતે સંપૂર્ણ પલ્લીને બાળી નાખી.
ધનદત્તના મનને શાન્તિ થઈ. તે સેના સાથે માલવપતિ પાસે પાછો આવ્યો. માલવપતિને ધનદત્તની ક્રૂરતામય હિંસાની વાતની ખબર પડી ગઈ હતી. તેણે નરવીરની પત્નીની અને ગર્ભની કેવી ઘોર હત્યા કરી હતી તે રાજાને ખબર પડી ગઈ હતી. જેવો ધનદત્ત રાજા સમક્ષ ઉપસ્થિત થયો ત્યારે રાજાએ તેનો ઘોર તિરસ્કાર કરીને કહ્યું -
"હે નીચ વણિક ! તું ભલે ઉચ્ચ જાતિમાં ઉત્પન્ન થયો છે, પરંતુ તારાં કર્મ એક શૂદ્રને ય શરમાવે એવાં અધમ છે. તું કેટલો નિર્દયી છે કે તે સ્ત્રી-હત્યા તો કરી, પણ સાથે જ ભૃણ-હત્યા ય કરી ? એક ચંડાળ પણ આવું અધમ કૃત્ય ન કરે. તું મારી સામેથી દૂર થઈ જા, હું તારું કાળું મુખ જોવા ઈચ્છતો નથી.”
રાજાએ ધનદત્તની સંપત્તિ પડાવી લીધી અને એને દેશનિકાલ કર્યો. ધનદત્ત માલવદેશ છોડીને જંગલમાં ચાલ્યો ગયો. તેને પોતે કરેલાં પાપોનો ઘોર પશ્ચાત્તાપ પણ થયો. પશ્ચાત્તાપ કરતાં તેણે શેષ જીવન વ્યતીત કર્યું. નરવીરને સદ્ગુરુની પ્રાપ્તિ ઃ
નરવીર નાસતો, ભટકતો જંગલમાં એક વૃક્ષ નીચે બેઠો હતો. રક્તરંગિત તલવાર એની પાસે પડી હતી. એનાં વસ્ત્રો પણ રક્તથી લથપથ હતાં. બધું જ ગુમાવી ચૂકેલો તે નિરાશામાં ડૂબી ગયો હતો. તેના મનમાં ધનદત્ત પ્રત્યે ભયંકર આક્રોશ હતો. સાથીદારો અને પત્નીના મૃત્યુથી તે અત્યંત વ્યથિત હતો. ભૂખ અને તરસ પણ તેને સતાવી રહી હતી, ત્યાં તેણે કેટલાક સાધુઓને આવતા જોયા. આચાર્યશ્રી યશોભદ્રસૂરિજી પોતાના શિષ્ય પરિવાર સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. જેવા આચાર્ય તેની પાસે આવ્યા તો નરવીરે ઊભા થઈને તેમને પ્રણામ કર્યા. આચાર્યે તેને "ધર્મલાભ” ના આશીર્વાદ આપ્યા. આચાર્યે તેની દીન-હીન પરિસ્થિતિ જોઈ, તેઓ તો કરુણાવંત હતા. તેમણે નરવીરને પૂછ્યું "મહાનુભાવ! તારી આવી દશા જોઈને મને લાગે છે કે તું ખૂબ જ દુઃખી છે; તારી આવી દશા કેવી રીતે થઈ?"
અન્ય સાધુઓ પણ આચાર્યશ્રીની પાસે આવીને ઊભા રહ્યા હતા. કેટલાક ગૃહસ્થો પણ સાથે ચાલતા હતા, તેઓ પણ ત્યાં આવીને ઊભા રહી ગયા. મુનિરાજની સામે નરવીરનું હૃદય ખૂલી ગયું અને તેણે પોતાના જીવનનાં સમગ્ર કુકર્મો કહી સંભળાવ્યાં. પોતાના સાથીદારો અને પત્નીની હત્યાની વિગત કહેતાં કહેતાં નરવીરની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. આચાદવે તેને વાત્સલ્યપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org