SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ તે હું તમને જણાવીશ. નરવીરની ટોળી ઘણી વિશાળ હતી. સમગ્ર પ્રદેશ ઉપર એની ધાક હતી. મુસાફરો માટે તો જાણે રસ્તો જ બંધ થઈ ગયો હતો. એક દિવસ માળવાનો ધનાઢ્ય વેપારી ધનદત્ત પોતાના કાફલા સાથે ત્યાંથી પસાર થતો હતો. તેની પાસે લાખોની સંપત્તિ, માલમતા હતી, નરવીરના સાથીદાર લૂંટારાઓએ ધનદત્તને લૂંટી લીધો. ધનદત્તના તમામ રક્ષકોની હત્યા કરવામાં આવી. ગમે તેમ કરીને ધનદત્ત ત્યાંથી બચીને નાસી છૂટ્યો. તેણે પોતાનું સર્વસ્વ ખોયું હતું. તે ભયંકર રોષ અને નિરાશાને લીધે બેચેન હતો. વેરની આગથી તેનું હૃદય બળી રહ્યું હતું. તેણે વિચાર કર્યો - "અનેક ક્રૂર પિશાચો એકઠા કરીને જેમ કોઈ રાક્ષસ લોકોને પરેશાન કરે છે એવી જ રીતે આ પલ્લીપતિ નરવીર અનેક ડાકુઓને એકત્ર કરીને મુસાફરોને લૂંટે છે, મારે છે.....એ મદોન્મત્ત બની ગયો છે. હવે જો એનો પ્રતિકાર કરવામાં નહીં આવે તો તે ઘણો જ આતંક ફેલાવશે, મારા જેવા અનેક મુસાફરોને કષ્ટરૂપ બનશે. મારે જ એનો પ્રતિકાર કરવો પડશે, પરંતુ હું એકલો કશું જ નહીં કરી શકું. કોઈક રાજાની મદદ લેવી પડશે.” .. ૧ આવો વિચાર કરીને તે માળવાના રાજા પાસે ગયો. તેણે રાજાને સમગ્ર વૃત્તાંત કહ્યો. રાજાએ કહ્યું : "શ્રેષ્ઠિ, તમે તમારે ઘરે જાઓ. એ પલ્લીપતિ નરવીરને હરાવીને તમારું બધું ધન તમને પરત આપવામાં આવશે. તમે નિશ્ચિંત રહો.” ૩ ધનદત્તે કહ્યું : “મહારાજ ! મારી સંપત્તિ ગઈ તેની મને ચિંતા નથી. પણ મેં પ્રતિજ્ઞા કરી છે કે તે ઉન્મત્ત પલ્લીપતિને પૂર્ણ રીતે સાફ કરીશ, ઉખેડી નાખીશ. એટલા માટે હું આપને વિનંતી કરું છું કે આપ આપનું વિશાળ સૈન્ય મારી સાથે મોકલો, બસ, હું એ દુષ્ટની સાથે હિસાબ પતાવી દઈશ.” માલવપતિએ ધનદત્તની વાત સાંભળીને પ્રસન્નતા વ્યક્ત કરી. તેણે ધનદત્તને વિશાળ સેના આપી. સેના લઈને તે પલ્લીપતિ નરવીરના રહેઠાણે પહોંચ્યો. જે પહાડી ઉપર પલ્લી (નાનું ગામ) હતી, તે પહાડીને સૈન્યે ઘેરી લીધી. જો કે તે પરાક્રમી યોદ્ધો હતો, છતાં તેને વિશાળ સેના સાથે લડવું અને જાણી જોઈને મરવું ઉચિત ન લાગ્યું. પરંતુ તેના સાથીદાર ડાકુઓએ ભેગા મળીને સૈન્યનો મુકાબલો કર્યો. ધનદત્ત પાગલની જેમ લડી રહ્યો હતો, ઘણા ડાકુઓ માર્યા ગયા. નરવીરને તેની સગર્ભા પત્નીની ચિંતા સતાવી રહી હતી. તે ગુપ્ત માર્ગેથી પહાડી ઉપરથી નીચે ઊતર્યો અને ગુપ્ત માર્ગે જંગલમાં અદૃશ્ય થઈ ગયો; પરંતુ એની ગર્ભવતી પત્ની ધનદત્તના હાથે પકડાઈ ગઈ, ધનદત્ત ઉપર ક્રોધ રૂપી રાક્ષસ સવાર હતો, તેણે નરવીરની પત્નીનું પેટ ચીરી નાખ્યું અને ગર્ભને પથ્થર ઉપર પછાડીને મારી Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy