________________
ભાગ
૧૬૭
લીધું, માત્ર પાંચ હજાર રૂપિયા જ લીધા અને એ રૂપિયા પિતાજીની સ્મૃતિમાં એક હોસ્પિટલમાં આપી દીધા."
-
૧
છે ને આ પણ એક સુખદ અનુભવ ? આવા તો અનેક વ્રતધારી લોકોના અનુભવો પ્રાપ્ત થઈ શકે છે.
મહત્ત્વની વાત છે સંસાર પરિભ્રમણ ઘટાડવાની. આ વ્રતથી સંસાર-પરિભ્રમણ ઘટે છે; ક્રમશઃ સ્થિરતાનો અભ્યાસ દૃઢ થાય છે.
મારે આત્મભાવમાં સ્થિરતા પામવી છે. મારે સ્વ-ભાવમાં સ્થિર થવું છે. હવે મારે વિ-ભાવ દશામાં પરિભ્રમણ કરવું નથી. અનંત કાળથી હું સંસારમાં વિ-ભાવ દશામાં ભટક્યો, હવે ભટકવું નથી.
આ સર્વનું પરિણામ દુઃખ, કલેશ અને સંતાપ જ આવ્યું છે. હવે આ જન્મમાં એ ભૂલ ફરીથી ક૨વી નથી. દશ દિશાઓમાં ભટકી ભટકીને હવે દુઃખી થવું નથી.”
આવું ચિંતન આત્મસાક્ષીએ કરવાનું છે, અને આ શુભ વિચારને કાયમી કરવા દિશા પરિમાણ વ્રત લેવું પડશે. જ્ઞાનવૃષ્ટિ ખૂલી જતાં વ્રતનું પાલન સરળતાથી થઈ શકશે.
તમારા સૌની જ્ઞાનવૃષ્ટિ ખૂલે અને તમે બધા વ્રતધારી બનીને પરમ સુખ પ્રત્યે અગ્રેસર બનો એ જ મંગલ કામના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org