________________
ભાગ ૧
૧૬૫
કે રૂપિયા અહીં ઘેર જ આપી દઈશ. એ બે જણા સાથે આ વાત ન કરી. અમેચાલ્યા, સ્ટેશન બે માઈલ દૂર હતું. અમે ચાલતા ચાલતા સ્ટેશને પહોંચ્યા. રસ્તામાં તેમણે ઘણી ઘણી વાતો કરી. તેમની ઉપર મને દૃઢ વિશ્વાસ બેઠો. તેઓ તો મધુ૨ભાષી અને ચતુર હતા.
સ્ટેશન ઉપર આવીને ગાડીમાં બેસી ગયા. રાતના બાર વાગે નડિયાદ સ્ટેશને પહોંચ્યા, ત્યાંથી અમે જંગલના રસ્તે પગપાળા ચાલી નીકળ્યા. હવે આ બે જણા બોલતા ન હતા, મૌન ચાલતા હતા. એક મારી આગળ હતો, બીજો પાછળ હતો. અંદાજે એક કલાક ચાલ્યા હોઈશું ત્યાં એક ઝૂંપડી આવી; ઝૂંપડી ખાલી હતી....એક ઝાંખો દીવો બળી રહ્યો હતો. અંદર એક રસ્તો હતો. એક આદમીએ કહ્યું : “મારી પાછળ પાછળ આવો.” પગથિયાં હતાં. હું પગથિયાં ઊતરતો હતો, પરંતુ મારું મન શંકાશીલ બનતું હતુ. અને હું કંઈક ભય અનુભવી રહ્યો હતો. દશ-બાર પગથિયાં ઊતરી ગયા ત્યાં એક ઓરડો હતો. એ ઓરડાની ભીંત ઉપર તલવાર, બંદૂકો વગેરે હથિયારો લટકી રહ્યાં હતાં. ઓરડામાં આશરે પંદર ડાકુઓ જેવા માણસો બેઠા હતા. વચ્ચે એમનો સ૨દા૨ બેઠો હતો. મને જોઈને તે બોલ્યો : "શેઠ, સોનું લેવા આવ્યા છો ?” હું બોલ્યો નહીં, માથું હલાવીને હા કદી દીધી. તેણે કહ્યું : "સારું, કેટલું સોનું જોઈએ ?" મેં કહ્યું "એક લાખ રૂપિયાનું !”
તેની મોટી મોટી આંખો પહોળી થઈ ગઈ. એ બોલ્યો :
"ઠીક છે, સોનું લઈ જજો, રૂપિયા લાવ્યો છો ને ?” મેં કહ્યું ઃ "ના, રૂપિયા સાથે નથી લાવ્યો, મારા ગામમાં આપી દઈશ. તમે જેને મારી સાથે મોકલશો તેને આપી દઈશ.”
તે જોરથી બરાઠી ઊઠ્યો : "અરે શેતાનસિંહ, શું તેં શેઠને રૂપિયા લાવવાનું કહ્યું ન હતું ?” શેતાને મારી સામે જોયું અને મૌન રહ્યો.
સરદાર બોલ્યો : "પહેલાં રૂપિયા જોઈએ અને પછી સોનું.”
મારામાં હિંમત આવી ગઈ. મેં કહ્યું :- "તમે તમારા માણસને મારી સાથે અમદાવાદ મોકલો, હું ત્યાંથી રૂપિયા અપાવી દઈશ....અને તે મને ત્યાં સોનું આપશે.” મેં એટલી સહજતાથી વાત મૂકી કે સરદારને વિશ્વાસ બેસી ગયો. હું મનમાં મારા ઈષ્ટદેવને યાદ કરતો હતો અને પેલા મુનિરાજને સ્મરીને ક્ષમા યાચવા લાગ્યો....વ્રતભંગ કર્યો હતો ને !
ક્ષણભર તો મને લાગ્યું કે - અહીંથી જીવતો નીકળી શકીશ નહીં. આ ભયંકર ડાકુઓનો પડાવ હતો. પરંતુ ઈષ્ટદેવની કૃપાથી સરદારને મારી વાત ઉપર વિશ્વાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org