________________
ભાગ - ૧
૧૬૩
જ જૈનનું ઘર હતું. મુનિરાજને અમારા બીજા ઘરમાં ઉતારો આપ્યો અને યથાશક્તિ તેમની સેવા કરી. બીજે દિવસે સવારે તેઓ વિહાર કરતા હતા અને તેમણે મને કહ્યું : “કરમચંદ, કોઈક વ્રત (નિયમ) લેવું જોઈએ ” મેં કહ્યું : "મહારાજ, મારાથી કોઈ વ્રત કે નિયમ લઈ શકાય તેમ નથી મને ક્ષમા કરશો.” તેમણે કહ્યું : "ઠીક છે, આજે આજના દિવસ માટે દિશાપરિમાણનું વ્રત લો.”
મેં કહ્યું ઃ
તેમણે કહ્યું : “આજે આ ગામ છોડીને બહાર જવાનું નહીં !”
મેં વિચાર કર્યો ઃ કરમચંદે વિચાર કર્યો કે.... "આજે મારે બહારગામ જવાનું પણ નથી, અને મુનિરાજ કેટલાંય વર્ષો પછી મારા ગામમાં આવ્યા, એમની વાત માનવી જોઈએ” મેં વ્રત લઈ લીધું, પ્રતિજ્ઞા કરી કે "આજે હું ગામની બહાર જઈશ નહીં."
r
આ વ્રતમાં શું કરવાનું હોય ?”
મુનિરાજને વિદાય કરીને ઘેર પાછો ફર્યો. સવારનો નાસ્તો કરી લીધો અને દુકાને જઈને બેઠો. એ સમયે બહારગામથી બે માણસો મારી દુકાને આવ્યા અને પૂછ્યું : - "શેઠ કરમચંદજી આપ પોતે જ ને ?"
મેં તેમને આદર આપ્યો, અને દુકાનમાં ગાદી ઉપર બેસાડ્યા. ચા પાણી કર્યાં. મેં પૂછ્યું : "કહો શા માટે પધારવું થયું ?”
તેમણે પ્રત્યુત્તર આપ્યો : "વાત ગંભીર છે, બંધ ઓરડામાં જ ક૨વાની છે.”
દુકાનની અંદર બીજો ઓરડો હતો, અમે ત્યાં જઈને બેઠા. બેમાંથી એક પાતળા શરીરવાળો ગોરા વાનનો યુવક હતો; તેણે વાતની શરૂઆત કરતાં કહ્યું : “અમારી પાસે સોનું છે, અમારે વેચવું છે. બજારમાં જે ભાવ ચાલતો હોય તેનાથી અડધા ભાવે તમને આપીશું !”
સસ્તા સોનાની વાત સાંભળીને જ મારા મુખમાં પાણી આવી ગયું ! પરંતુ મેં પૂછયું : “તમને મારું નામ ગામ કોણે બતાવ્યાં ?”
“કરમચંદ શેઠ, તમારું નામ તમારા જ એક સ્નેહીએ બતાવ્યું છે, બતાવનારની પાસે પૈસા ન હતા, નહીંતર તે જ સોનું લઈ લેત. અમારે તો રોકડા રૂપિયા જોઈએ. એક હાથમાં સોનું અને બીજા હાથમાં રૂપિયા !”
"તમારી પાસે કેટલું સોનું છે ?”
”તમે જેટલું ઇચ્છો તેટલું ! રૂપિયા રોકડા જોઈએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org