________________
શ્રાવક જીવન
૧૬૦ અતિચારોથી સાવધાન રહો :
વ્રત લીધા પછી વ્રતનું સારી રીતે પાલન કરવાનું છે. વ્રત દૂષિત ન થાય એટલા માટે જાગૃત રહેવાનું છે. કોઈક વાર ભયથી તો કોઈક વાર લાલચથી માણસ વ્રતને દૂષિત કરી દે છે. કોઈવાર વ્રતભંગ પણ કરી બેસે છે. વ્રતધારી માણસે ભય અને લાલચથી બચતા રહેવું જોઈએ.
પહેલાં તો વ્રતને દૂષિત કરનાર અતિચારોની વાત કરું ? * ચારે દિશાઓમાં જેટલા માઈલ યા કિલોમિટર તમે નક્કી કર્યા હોય તેનાથી
વધારે દૂર ન જવું જોઈએ. પ્રમાદથી ચાલ્યા ગયા તો અતિચાર લાગશે. * એ રીતે ઉપર જવા માટે તમે જેટલા કિલોમિટર નકકી કર્યો હોય, તેનાથી વધારે
ઉપર જવાથી વ્રત દૂષિત થશે. જાણી જોઈને ગયા તો વ્રતભંગ જ થશે. * નીચે પણ મર્યાદાથી વધારે ન જવું જોઈએ. પ્રમાદવશ ગયા તો અતિચાર લાગશે, અને જાણી જોઈને ગયા તો વ્રતભંગ થશે.
એક દિશાના માઈલ લઈને, બીજી દિશામાં જોડી દઈને તે દિશામાં વધારે દૂર જ્વાથી વ્રત દૂષિત થશે. જેમ કે તમે પૂર્વ દિશામાં જવા માટે ૧૦૦ માઈલ નક્કી કર્યા છે. જ્યારે તમારે જવું છે ૧૫૦ માઈલ. હવે તમે ઉત્તર દિશાના ૧૦૦ માઈલમાંથી પ0 માઈલ ઓછા કરીને પૂર્વ દિશામાં જોડી દીધા! અને પૂર્વ દિશામાં ૧૫૦ માઈલ ચાલ્યા ગયા, તો તમારું વ્રત દૂષિત થશે. આ રીતે ક્ષેત્રવૃદ્ધિ ન કરવી જોઈએ.
જે દિશામાં જેટલા માઈલ જવાની મયદા તમે બાંધી હોય એ મયદાથી બહાર રહેલી વસ્તુ બીજી વ્યક્તિને મોકલીને મંગાવવી ન જોઈએ. તેમજ ત્યાંથી બહાર કોઈ વસ્તુ મોકલવી પણ ન જોઈએ. આવુ સમજીને કે : "પ્રતિજ્ઞા તો મેં લીધી છે ને? બીજી વ્યક્તિને મોકલીને વસ્તુ મંગાવું છું અગર તો મોકલું છું, તેથી મારું વ્રત તૂટશે નહીં” – હા, તૂટશે નહીં, પરંતુ અતિચાર તો અવશ્ય લાગશે. તમે વ્રત ” હું નહીં કરું " એટલું જ નથી લીધું, પરંતુ "નહીં કરાવું " એવું પણ લીધું છે.
એટલે કે "મેં પ્રત્યેક દિશામાં ઉપર અને નીચે, જે મર્યાદા બાંધી છે તેનાથી બહાર નહીં જાઉં, એનાથી બહાર કોઈને પણ મોકલીને મારું કામ નહીં કરાવું "એવા પ્રકારની પ્રતિજ્ઞા હોય છે.
પાંચમો અતિચાર લાગે છે સ્મૃતિનાશથી. સ્મૃતિના ત્રણ બાબતોથી થાય છે ૧. અતિવ્યાકુળતાથી ૨. અતિ પ્રમાદથી ૩ મંદ બુદ્ધિથી, સ્મૃતિનાશથી વ્રતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org