________________
ભાગ - ૧
૧પ૯ કહેવામાં આવ્યું છે.
માત્ર હરવા ફરવા અને ઉત્સુકતા-કુતૂહલથી પ્રેરિત થઈને પરિભ્રમણ કરવાથી સ્થાનો પ્રત્યે મોહ વધે છે. વ્યક્તિઓ પ્રત્યે અને વસ્તુઓ પ્રત્યે મોહ વધે છે. આ મોહાસક્તિ મુક્તિ-મોક્ષને ભૂલાવી દે છે. આ દ્રષ્ટિથી ચારે દિશાઓમાં અને ઉપર નીચે આવવા જવાની મર્યાદા કરવા આ વ્રત બતાવવામાં આવ્યું છે. આમ તો મનુષ્ય પરિભ્રમણશીલ હોય છે. દુનિયાને જોવા જાણવાની ઉત્સુકતાવાળો હોય છે. તેમાં રાગદ્વેષની પ્રબળતા હશે. "આ સારું, આ ખરાબ, આ શ્રેષ્ઠ આ કનિષ્ઠ .....”આવી અસંખ્ય કલ્પનાઓથી તેનું મન ભરેલું રહે છે. આવા મનમાં મોક્ષની કલ્પના કેવી રીતે રહી શકે? જે મનમાં દ્રવ્યાસક્તિ અને ક્ષેત્રાસક્તિ હોય છે એ મનમાં મોક્ષના વિચારો કેવી રીતે ટકી શકે ? મોક્ષમાર્ગનો વિચાર અને તત્ત્વજ્ઞાનની રમણતા કેવી રીતે રહી શકે ? એટલા માટે જ પરિભ્રમણ પરિમિત કરવાનું છે. આ વ્રત લેવાનું પ્રારુપ દિશાપરિમાણવ્રત તમે આ રીતે લઈ શકો છો. હું પૂર્વ દિશામાં.........................માઈલ(કિલોમિટર)થી દૂર જઈશ નહીં. હું દક્ષિણ દિશામાં............માઈલથી દૂર જઈશ નહીં. હું પશ્ચિમ દિશામાં ....................માઈલથી દૂર જઈશ નહીં. હું ઉત્તર દિશામાં..................માઈલથી દૂર જઈશ નહીં. હું ભૂમિની નીચે.... .........માઈલથી વધારે નીચે જઈશ નહીં. હું આકાશમાં ....... .......................માઈલ કરતાં વધારે ઉપર નહીં જાઉં.
અથવા, હું–મારા ગામની સીમાની બહાર નહીં જાઉં. અથવા હું ભારત બહાર નહીં જાઉં......પરદેશમાં આટલા જ દેશોમાં જઈ શકીશ.
રેડિયોના સમાચાર સાંભળવાની, ટી.વી. ઉપર જોવાની, પરદેશમાં માણસ મોકલવાની, તાર, ટેલિફોન, વાયરલેસ, છાપાં વાંચવાં, સાંભળવા વગેરેની છૂટ રાખું છું. જયણા રાખું છું, એટલે કે આ બધું કરવા છતાં પણ મારું વ્રત ખંડિત નહીં થાય.
એ રીતે તમે વ્રત લઈ શકો છો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org