________________
ભાગ - ૧
૧૫૭
માંડવગઢના મંત્રી પેથડશાહ આટલાં બધાં સત્કાર્યો કેવી રીતે કરી શક્યા હતા? તેમણે અનેક મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. અનેક સદાવ્રતો ખોલ્યાં હતાં; કોઈ પણ સાધર્મિકને ઘર કે દુકાન વગરનો રાખ્યો ન હતો. કારણ કે પાંચ લાખની તેની મર્યાદા હતી. એનાથી વધારે જે કંઈ ધન મળતું હતું તે બધું શુભ કાર્યોમાં ખરચ કરી નાખતા હતા. "પાંચ લાખ રૂપિયા જ મારા છે. એનાથી વધારે રૂપિયા મારા નથી.....સત્કાર્યો માટે છે....”એવી સમજદારી વગર રૂપિયા છૂટી શકતા નથી. એનાથી આગળ સમ્યગ્દષ્ટિ શ્રાવક મર્યાદામાં રાખેલા રૂપિયાને પણ પોતાના માનતો નથી. ધનને ધૂળ બરાબર માને છે !
ઉપસંહાર :
અંતમાં મારે એટલું જ કહેવું છે, તમારી મરજી મુજબ પરિગ્રહનું પરિમાણ કરો. સમજીને કરો. યાવજ્જીવન માટે ન કરવું હોય તો એક-બે વર્ષ માટે કરો. ચારઆઠ મહિના માટે કરો. પરંતુ કરો અવશ્ય.
નવ પ્રકારના પરિગ્રહનું મમત્વ ઓછું કરવાનું છે. આસક્તિ તોડવાની છે. આસક્તિ તૂટવાથી આત્માનું ભારેપણું ઓછું થશે. આત્મા હલકો બનશે અને
ઊર્ધ્વગતિ કરશે.
આવશ્યક્તાઓ ઓછી થતાં અને મમત્વ તૂટતાં આત્મા અપૂર્વ આંતરિક પ્રસન્નતા અનુભવશે. સુખ-શાંતિનો આસ્વાદ માણશે, મનુષ્ય જીવન જીવવાનો અપૂર્વ આનંદ પ્રાપ્ત થશે. એટલા માટે આ “પરિગ્રહ પરિમાણ” વ્રત લઈને જીવન સફળ કરો એ જ મંગલ કામના.
આજે આટલું જ.
-
Jain Education International
★★
For Private & Personal Use Only
www.jainelibrary.org