________________
૧૫૪
શ્રાવક જીવન
કર્યો, એથી અતિચાર લાગે છે. વ્રતસાપેક્ષતાની દૃષ્ટિએ વ્રતભંગ માનવામાં આવતો નથી.
દાસ-દાસી અને પશુ-પક્ષીઓ અંગે પણ વ્રત લીધું છે કે : "આટલાં જ દાસદાસીઓ રાખીશ-પશુ-ગાયભેંશ રાખીશ.” માની લો કે આ મર્યાદા ચાર માસ માટેની રાખી છે. હવે આ સમય મર્યાદામાં ગર્ભાધાનનો વિચાર કરે છે તો અતિચાર લાગે છે. આ અધિકાળમાં દાસી પુત્ર-પુત્રીને જન્મ આપે, ગાય વાછરડાને જન્મ આપે તો સંખ્યા વધી જાય છે. સંખ્યા વધવાથી વ્રતભંગ થાય છે ! આ દૃષ્ટિએ એ એવી રીતે ગર્ભાિધાન કરાવે છે કે વ્રતની અવધિ પછી જ દ્વિપદ યા ચતુષ્પદ જીવ જન્મ આપી શકે. પરંતુ જીવ ગર્ભમાં આવવાથી નિર્ધારિત સંખ્યા કરતાં સંખ્યા વધી જાય છે........બસ, માત્ર જન્મ થતો નથી એટલું જ ! વ્રત સાપેક્ષતા ને કારણે અતિચાર લાગે છે.
"કુપ્પમ્ " માં પણ પર્યાયાન્તર કરવાથી અતિચાર લાગે છે. ગૃહ-ઉપયોગી આસન, પલંગ, વાસણો વગેરેનું જે પરિમાણ કર્યું હોય તેની સંખ્યા વધી ન જાય તે માટે બે આસનોનું એક આસન કરી દે ! બે થાળીઓની એક મોટી થાળી બનાવી દે. "મેં સંખ્યાની મર્યાદા કરી છે....વસ્તુને નાની મોટી કરી શકું છું." આ રીતે વ્રતસાપેક્ષ રહીને વસ્તુનો પર્યાય-અવસ્થા-બદલે છે, એથી અતિચાર કહેવાય છે.
અથવા વાસણવાળાને કહે કે "ચાર મહિના પછી હું આ વાસણો લઈ જઈશ, બીજા કોઈને આપતો નહીં." આ રીતે તે પોતે રાખતો નથી પરંતુ રખાવે છે. એથી વ્રતભંગ થતો નથી, પરંતુ અતિચાર લાગે છે.
પરંતુ આ તમામ અતિચારો ત્યારે જ સંભવે છે કે જ્યારે વ્રત અમુક માસ માટે યા તો અમુક વર્ષ માટે લીધું હોય ! આજીવન અણુવ્રત લીધું હોય તો ? વધારે પ્રમાણમાં તો વ્રતભંગનો જ સંભવ રહે છે. હા, દૃઢતાપૂર્વક મર્યાદાપાલન કરવામાં આવે તો વ્રતપાલન સારી રીતે થઈ શકે છે; પરંતુ અધ્યવસાયોની ચંચળતા તેનું સારી રીતે પાલન કરવા દેતી નથી. જો મન ચંચળ હોય તો "પરિગ્રહ-પરિમાણ” વ્રત કેટલાક માસ યા કેટલાંક વર્ષ માટે લેતા રહેવું જોઈએ.
સ્થૂળ પરિગ્રહ નવ પ્રકારનો :
આ રીતે સંક્ષેપમાં પાંચ અતિચારો બતાવ્યા. હવે સ્થૂળરૂપે પરિગ્રહના નવ પ્રકારો બતાવવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે.
૧. ધન, ૨. ધાન્ય, ૩. ક્ષેત્ર, ૪. વાસ્તુ, ૫. ચાંદી, ૬. સોનું, ૭. ચોપગાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org