SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ શ્રાવક જીવન "મારી પાસે ત્રણ લાખ ડૉલર છે” એ રીટાયર્ડ સૈનિક એવી રીતે ખુશ થતો હશે ને ! ન દાન દીધું, ન ભોગવ્યું, અંતે તે મરી ગયો. ડૉલર એમને એમ પડી રહ્યા. પરિગ્રહની વાસના એ જીવને કઈ ગતિમાં લઈ ગઈ હશે તેની કલ્પના કરજો ! સોનું, ચાંદી, ઘર, દુકાન, રૂપિયા, ગાડી-ઘોડા, નોકર-ચાકર વગેરે વધારવાનો વિચાર ત્યજી દેવાનો છે. ઓછું કરવાનો વિચાર કરવાનો છે. વાત ગળે ઊતરે છે? અંતઃકરણની શાંતિ........પ્રસન્નતા પામવી હોય તો બાહ્ય-પરિગ્રહ અને આંતરિક આસક્તિનો ત્યાગ કરવો જ પડશે; એટલા માટે આ અણુવ્રત બતાવવામાં આવ્યું છે. પાંચ અતિચાર : પાંચમું અણુવ્રત ગ્રહણ કર્યા પછી અતિચારોથી બચવું આવશ્યક છે. પાંચ પ્રકારના અતિચાર બતાવવામાં આવ્યા છે. આજના સંદર્ભમાં અતિચારોને સમજવા પડશે. અતિચારો આ રીતે છે. ક્ષેત્ર-વસ્તુ-હિર–સુવ–ધનધાન્ય-રીવાસ-શુગપ્રમાાતિમઃ | પ્રથમ અતિચારઃ ખેતર, ઘર, દુકાન ઇત્યાદિની જે સંખ્યા નિયત કરી હોય તેનાથી વધારે કરવી અને નાનાને મોટું બનાવવું. બીજો અતિચારઃ સોનું, રૂપું મર્યાદા કરતાં વધારે થઈ જવાથી પુત્ર, ભાઈ વગેરેને આપી દેવાં. ત્રીજો અતિચાર ધન-ધાન્યનું જે પરિમાણ કર્યું હોય તેના કરતાં વધારે રાખવું. ચોથો અતિચાર: નોકર-નોકરાણી તેમજ પશુઓની સંખ્યા વધી જવા છતાં તેમનો ત્યાગ ન કરવો. પાંચમો અતિચારઃ આસન, પલંગ, ટેબલ-ખુરશી વગેરે સામાન મર્યાદા કરતાં વધી જવા છતાં તેનો ત્યાગ ન કરવો. ભાવોલ્લાસ ઘટવાથી અતિચાર : આ પ્રકારના અતિચાર લાગવાનું કારણ છે ભાવોલ્લાસનો ઘટાડો. વ્રત ગ્રહણ કિરતી વખતે સાધુપુરુષના ઉપદેશથી ભાવોલ્લાસ વધે છે. વૃદ્ધિ પામતા ભાવોલ્લાસમાં મનુષ્ય વ્રત-પ્રતિજ્ઞા લઈ બેસે છે. પરંતુ પાછળથી જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy