________________
ભાગ ૧
૧૫૧
શોક-સાગરમાં ડૂબી જાય છે. અરે, બધું ધન નહીં પણ થોડુંક ધન ચાલ્યું જાય છે તો પણ તેઓ રડવા બેસે છે. આ શોક-સંતાપ અને રુદનનું મુખ્ય કારણ તેમનો પરિગ્રહ છે. જો હોય તો પરિગ્રહ ઓછો ક૨તા જાઓ, અને ન હોય તો એની કામના છોડી દો.
અતિ ધનવાન, શ્રીમંત પરિગ્રહીઓને જોઈને એવું ન વિચારો કે આ લોકો પુણ્યશાળી છે અને આપણે કંગાલ છીએ. પરંતુ એવું વિચારો કે "આ લોકો કેટલા અશાન્ત, બેચેન અને અધીર છે....આપણે સુખી છીએ.
બીજી એક મહત્ત્વની વાત કરું. જેટલા ઝઘડા શ્રીમંતોના ઘરોમાં થાય છે એટલા બીજાના ઘરોમાં નથી થતા. હા, શ્રીમંત હોય છતાં મમત્વરહિત હોય તેની વાત જુદી છે. મમત્વ-મૂચ્છગ્રિસ્ત માણસોની વાત છે આ તો ; તેઓ સદાય ક્લેશ-સંતપ્ત રહે છે.
મમ્મણ શેઠની મિની આવૃત્તિ :
ધન-સંપત્તિની મમતા-આસક્તિ કેટલી ભયાનક છે એ વાત તમને વધુ સમજાવવાની જરૂ૨ છે ? સમ્રાટ શ્રેણિકના સમયના મમ્મણ શેઠની વાત તો તમે લોકોએ કેટલીય વાર સાંભળી હશે. પરિગ્રહને કારણે, ધન–સંપત્તિના વ્યામોહને કારણે તે મરીને નરકમાં ગયો !
હમણાં જ જાપાનની એક ઘટના વાંચવામાં આવી. "સિગીયૂકીયૂઝ” નામનો એક ફેકટરી-કામદા૨ ૬૨ વર્ષની ઉંમરે મરી ગયો. બીજા વિશ્વયુદ્ધમાં યૂઝુ સૈનિક હતો, પાછળથી તે દક્ષિણ જાપાનના “નોબેકા” નગરમાં રહેતો હતો. એક નાનકડા ઘરમાં તે એકલો રહેતો હતો. તેણે લગ્ન કર્યું ન હતું. તે મરણ પામ્યો તે પછી પોલીસે તપાસ કરી. તે હંમેશાં પોતાના ઘરમાં બ્રેડ જ ખાતો હતો ! બેંકમાં તેના ૨,૩૦,૦૦૦ ડૉલર અને ઘરમાં ૭૦,૦૦૦ ડૉલર પેક કવરોમાં પડ્યા હતા ! તે કોઈનીય સાથે બ્રેડ ખાતો ન હતો; કારણ કે બીજાં સાથે ખાય તો તેમને પણ ખવડાવવી પડે ને! તે માત્ર બ્રેડ જ ખાતો હતો....છે ને મમ્મણ શેઠની મિની આવૃત્તિ !!
મુંબઈમાં મહાલક્ષ્મીના મંદિર આગળ ઘણા ભિખારીઓ બેસે છે. થોડાક વર્ષ પહેલાં એક ભિખારી મરી ગયો, જે ગંદી ગોદડી ઉપર તે બેસતો હતો તે ગોદડીમાંથી ૭૫ હજારની ચલણી નોટો નીકળી હતી. જુઓ, દુનિયામાં કેવા કેવા પરિગ્રહી લોકો હોય છે ! ૭૫ હજારની નોટો ઉપર બેસીને ભીખ માગવાની મજા આવતી હશે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org