________________
૧પ૦
શ્રાવક જીવન છો, પરિગ્રહ વધતાં અત્યંત ખુશ થાઓ છો...પરંતુ થોડુંક અટકી જાઓ અને ગંભીરતાથી પરિગ્રહનાં પરિણામોનો વિચાર કરો. વિચાર કરશો તો પરિગ્રહની મર્યાદા બાંધવાની ઈચ્છા જન્મશે, અપરિગ્રહી થવાની ભાવના થશે.
પાપોનાં પરિણામ ભલે આગામી જન્મમાં ભોગવવાં પડે, પરંતુ આ જીવનમાં આપત્તિ તો આવશે જ.
પરિગ્રહની આસપાસ આપત્તિઓ રૂપી ડાકણો ભટકતી રહે છે, એટલા માટે જ તો પરિગ્રહી લોકો જીવનમાં શાન્તિથી ઊંઘી શકતા નથી. ઊંઘમાં પણ ભયભીત થઈને જાગી જાય છે. બરાડા પાડે છે, ઊભા થઈને દોડવા માંડે છે ! કોઈકોઈ વાર ચોરી થઈ જાય છે, સરકારી અધિકારીઓ પરેશાન કરે છે, તો કોઈ વાર સ્નેહીજનો તંગ કરે છે ! કોઈક વાર મૃત્યુ પણ થાય છે. આ તમામ આપત્તિઓ પરિગ્રહને કારણે જ આવે છે. દુનિયામાં એ જોવા પણ મળે છે. છતાં ય મોહાસક્ત જીવ પરિગ્રહની મમતા છોડતો નથી. આનાથી વધુ દુઃખદાયક વાત બીજી કઈ હોઈ શકે ?
આપત્તિ આવી ન હોય પણ આપત્તિના આગમનની કલ્પના ય કેવું દુધ્વનિ કરાવે છે? પરિગ્રહી માણસ દુધ્વનિથી જીવે છે. ધનસંપત્તિ વગેરે પામવાની ઈચ્છા, દુધ્વનિ છે ! અને દુધ્વનિથી કેવા પાપકર્મો બંધાય છે તે જાણો છો ને ? એ કમી જીવને નરકમાં લઈ જાય છે. ઠીક છે, નરકમાં તો જ્યારે જવાનું હશે ત્યારે જઈશું પરંતુ આ જીવનમાં પણ દુધ્વનિથી – તીવ્ર આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી મન ક્ષુબ્ધ રહે છે અને એનાથી માનસિક રોગો થાય છે, માણસ પાગલ પણ થઈ જાય છે.
મનની વિક્ષિપ્તતાથી આખો ય જીવન વ્યવહાર બગડી જાય છે. ઘરનાં લોકો વિમુખ થાય છે. વિક્ષિપ્ત મનવાળા માણસનું ઘરમાં, સમાજમાં, નગરમાં કોઈ મૂલ્ય હોતું નથી. જ્યારે માણસને લાગે છે કે ઘરમાં સ્નેહી-સ્વજનોમાં મારી કોઈ કીમત નથી” ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ જાય છે. ઘરમાં ભંડાર ભર્યા હોય, અપરંપાર સંપત્તિ હોય, છતાં પણ પરિગ્રહી માણસ દુઃખી રહે છે. આવા ભંડારને શું કરવાનો? સખચેનથી જીવવા ન દે એવો ધન-ભંડાર અભિશાપિત છે. આવી ધન-સંપત્તિ રાખવી ન જોઈએ.
પરિગ્રહના અનર્થો આટલા જ નથી. પરિગ્રહ જેટલો વધારે તેટલું જ અભિમાન વધારે. અપાર સંપત્તિ હોય અને અભિમાન ન હોય તેવી તો કોઈ વિરલ વ્યક્તિ જ મળી શકે ! હા, ધનવાન પોતાની સંપત્તિને છુપાવી રાખવા માગે તો અભિમાન ન કરે. પરંતુ આવા લોકોનું ધન ચાલ્યું જાય છે, નાશ પામે છે, ત્યારે તેઓ ઊંડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org