SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ ભાગ - ૧ વાત ? આ અણુવ્રત સરળ છે ને? પરિગ્રહની મર્યાદા અપેક્ષિત છે, પરંતુ તમારી દ્રષ્ટિ "અપરિગ્રહ-ધર્મ”ની તરફ હોવી જોઈએ. “પરિગ્રહ પાપ છે.” એ વાત યાદ રાખવી જોઈએ. પરિગ્રહની અનર્થકારિતા : “પરિગ્રહ” નામનો આ ગ્રહ રાહુ, કેતુ અને શનિ કરતાં પણ વધારે ભયાનક ગ્રહ છે ! આ ગ્રહે ત્રણે ભુવનોને પોતાના પ્રભાવથી પ્રભાવિત કર્યા છે. એના પ્રભાવને નષ્ટ કરવા માટે આ અણુવ્રત લેવું અતિ આવશ્યક છે. જો કે અણુવ્રતથી પરિગ્રહનો પ્રભાવ પૂર્ણ રીતે નષ્ટ થતો નથી, પરંતુ પ્રારંભ અણુવ્રતથી કરવો જોઈએ. જો તમે આત્મશાન્તિ પ્રશમભાવને ટકાવી રાખવા માગતા હો તો તમારે પરિગ્રહને ઓછો કરવો જ પડશે. ચલ-અચલ સંપત્તિનું મમત્વ હૃદયમાં ભરી રાખીને શું તમે શાન્તિ પામવાની અપેક્ષા-આશા રાખો છો ? પ્રશમભાવ ટકાવી રાખવાની આશા રાખો છો ? પરિગ્રહનું મમત્વ શાન્તિનો શત્રુ છે; અપરિગ્રહી માનવ જ આત્મશાંતિનો અનુભવ કરી શકે છે. શું તમે ઘેર્ય-ધીરતાને જીવનમાં આવશ્યક માનો છો? જો તમને પરિગ્રહ પ્રિય હોય તો અધીરતા રહેવાની જ છે. પરિગ્રહી મનુષ્ય કદી ય ધીર રહી શકતો નથી. અધીરતા મનુષ્ય પાસે વગર વિચાર્યેવગર સમજે કાર્ય કરાવે છે. એનું પરિણામ દુઃખ અને સંકટ જ હોય છે. પરિગ્રહની સાથે અધીરતાને ઘનિષ્ઠ દોસ્તી છે. પરિગ્રહી મનુષ્ય ઉપર મોહનું સામ્રાજ્ય હોય છે, વ્યામોહનું વર્ચસ્વ હોય છે. પરિગ્રહી મનુષ્ય કદી પણ મોહ વિજયી બની શકતો નથી. પરિગ્રહ તો વિશ્વામગૃહ છે મોહનું ! મમતા, આસક્તિ, મૂચ્છ-બધા મોહના જ પયિો છે, ધનસંપત્તિ, સ્નેહસ્વજન વગેરેનો પરિગ્રહ શું મનુષ્યને મોહ-ભ્રમિત નથી કરતો ? કરે જ છે. પરિણામ શું આવે છે તે જાણો છો ને ! અહીં અશાંતિ અને પરલોકમાં દુર્ગતિ ! ચોથી વાત ખૂબ ગંભીર છે. તમને લોકોને કદાચ નહીં રુચે, છતાં બતાવું છું. પરિગ્રહમાંથી સર્વ પાપ પેદા થાય છે ! એટલે કે પાપોની જન્મભૂમિ છે પરિગ્રહ પરિગ્રહને કારણે મનુષ્ય હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે, ક્રોધ કરે છે, માયા-કપટ કરે છે, અભિમાન કરે છે.....ઈષ્ય અને નિંદા કરે છે અને આ તમામ પાપ મનુષ્યની ઉન્નતિ કરે છે કે અવનતિ ? આ પાપો મનુષ્યને સુખી કરે છે કે દુખી? વિચારો, શાંતિથી વિચારો. પરિગ્રહ વધારવા દિન-રાત દોડધામ કરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy