________________
.
ભાગ ૧
રાવણ અને સુદર્શન ઃ
રાવણને હજારો પત્નીઓ હતી, છતાં પણ તે પરસ્ત્રીમાં આસક્ત બન્યો. અને સીતાનું અપહરણ કર્યુ. સીતાને અશોક વાટિકામાં રાખી હતી અને દરરોજ રાવણ ત્યાં જઇને સીતાને મનાવવા રડતો હતો, તેનું મસ્તક જમીન ઉપર પટકતો હતો, ચાટુકારી કરતો કરતો પોતાનું સમગ્ર રાજ્યકાર્ય ભૂલીને તે સીતાને મનાવવા માટે રાત-દિવસ પ્રયત્નો કરતો હતો. છતાં પણ તે સીતાને પામી શક્યો નહીં. પરિણામ શું આવ્યું ? યુદ્ધ અને મૃત્યુ ! લંકાનું પતન થયું.
૧૪૧
અને સુદર્શન શેઠની વાત જાણો છો ને ? પરસ્ત્રી સામાન્ય સ્ત્રી નહીં પણ રાજાની રાણી અભયા હતી ! સુદર્શનનું અપહરણ કરીને અન્તઃપુરમાં લાવવામાં આવ્યો હતો. અભયાએ સુદર્શન સામે સંભોગનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેણે સુદર્શનની કામુક્તાને ઉત્તેજિત કરવા ભરપૂર પ્રયત્નો કર્યા. પરંતુ તે તો સુદર્શન હતો ! ભગવાન મહાવીરના શાસનનો શ્રાવક હતો. સ્વ સ્ત્રીમાં સંતુષ્ટ હતો. પરસ્ત્રીનો મન, વચન અને કાયાથી ત્યાગ કરનારો હતો. અભયાના લાખ પ્રયત્નો છતાં પણ તે અભયાને વશ થયો નહીં ! અભયા સ્વરૂપવતી હતી, કલાસ્વામિની હતી. હાવભાવ પ્રકટ કરવામાં કોઈ કચાશ તેણે રાખી નહીં, પરંતુ તે સુદર્શનના મનને
વિચલિત કરી શકી નહીં. કારણ કે સુદર્શન ઇન્દ્રિયસંયમી હતો, મનઃસંયમી હતો અને આત્મસંયમી હતો.
મન ચંચળ થાય છે તો ઇન્દ્રિયો ચંચળ થાય છે, પછી સંયમ રહેતો નથી. એટલા માટે મનને ચંચળ થવા દેવું ન જોઈએ. આજની દુનિયામાં મનને ચંચળ કરનારાં નિમિત્તોની કોઈ સીમા રહી નથી. દૃઢ મનઃ સંયમ વગર માણસ આ વ્રત લઈ શકતો નથી. તેમજ નભાવી પણ શકતો નથી. સુદર્શન જેવું દૃઢ મનોબળ છે ખરું ? એક અભયા નહીં, અનેક અભયાઓ પેદા થઈ ગઈ આ દુનિયામાં ! પરસ્ત્રીગમનથી પાપકર્મોનો બંધ :
પરસ્ત્રી સંભોગ કરવા માત્રથી જ પાપ કર્મ બંધાય છે. અને એ વિચારમાં આયુષ્યકર્મનો બંધ પડી ગયો તો સંભવ છે કે એ સ્ત્રીને પેટે ગર્ભ રૂપે ઉત્પન્ન થવું પડે !
પરંતુ પરલોકની દૃષ્ટિથી આ વાત વિચારશો તો સમજી જશો. “પરસ્ત્રીગમનથી પરલોકમાં મારું શું થશે ? આ પાપનું ફળ તો મારે ભોગવવું જ પડશે, પાપનું ફળ દુઃખ હોય છે, મારે કેવાં દુઃખ ભોગવવાં પડશે ? પરસ્ત્રી સાથે સંભોગની ઈચ્છા થાય છે ત્યારે શું આવો વિચાર આવે છે ? આવો વિચાર કરવો, નહીંતર ઘોર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org